Feeding Crows Daily: સવારના પહોરમાં કાગડાને રોટલી ખવડાવવાથી શું થાય?


By Sanket M Parekh18, Jul 2025 03:39 PMgujaratijagran.com

હિંદુ ધાર્મિક માન્યતા

હિંદુ ધર્મમાં કાગડાને પૂર્વજો સાથે સાંકળીને જોવામાં આવે છે. તમે ઘણી વાર મોટા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે, કાગડાના બોલવાથી ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. આવી જ રીતે સવારના સમયે કાગડાને રોટલી ખવડાવવાથી પણ ઘણા પ્રકારના બદલાવ આવી શકે છે. તો ચાલો આ સંદર્ભે લાઇફ કોચ અને જ્યોતિષી શીતલ શાપૈરા પાસેથી વિગતાવાર જાણીએ...

સવારના સમયે રોટલી ખવડાવવી

સવારના સમયે કાગડો દેખાય તે અનેક પ્રકારના સંકેત આપે છે. આટલું જ નહીં, કાગડાનું આવવું અને તેને રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મનોકામના પૂરી થાય

એવું માનવામાં આવે છે કે, સવારના પહોરમાં જો કાગડો રોટલી ખાઈ લે છે, તો તમારી મનોકામના પૂરી થઈ શકે છે. જ્યોતિષ અનુસાર, આ એક સારું ફળ લઈને આવે છે

ધનલાભ થાય

કાગડાને સવારે સવારે રોટલી ખવડાવવી ખૂબ જ સારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેનાથી ધન લાભ થઈ શકે છે અને મા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે.

પૂર્વજો પ્રસન્ન રહે

હિંદુ ધર્મમાં કાગડાને ભોજન ખવડાવવું પૂર્વજોને પ્રસન્ન કરવાનું એક માધ્યમ છે. એવું માનવામાં આવે છે કે, કાગડાના પેટમાં ગયેલું ભોજન પૂર્વજો સુધી પહોંચે છે. કાગડાને રોટલી ખવડાવવાથી પૂર્વજ પ્રસન્ન રહે છે.

કામ સફળ થાય છે

જો તમારા ઘરમાં રોજ કાગડો આવે છે અને તેને રોટલી ખવડાવવામાં આવે છે, તો લાભ મળે છે. આવું કરવાથી કાર્યમાં સફળતાના યોગ બની શકે છે.

દોષ દૂર થાય છે

કાગડાને રોટલી ખવડાવવાથી ઘરના તમામ દોષ દૂર થાય છે. આ સાથે જ જીવનમાં નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે.

મનને શાંતિ મળે

પશુ-પક્ષીઓને ભોજન ખવડાવવું પુણ્યનું કામ છે.આથી દરરોજ સવારે કાગડાને રોટલી ખવડાવવાથી મનને શાંતિ મળે છે અને ઘરમાં ખુશહાલી આવે છે

નવગ્રહ ખરાબ હોવાના સંકેતો શું છે? અહીં જાણો