જગજીતસિંહની ટૉપ-10 ગઝલો, જે હંમેશા રહેશે અમર


By Sanket M Parekh10, Oct 2023 04:14 PMgujaratijagran.com

જગજીતસિંહ

જગજીતસિંહને ગઝલ સમ્રાટ માનવામાં આવે છે. તેમના અવાજનો જાદુ આજે પણ લોકોના દિલોમાં છે. આજે જગજીતસિંહની પુણ્યતિથિ છે.

ટૉપ ગઝલ

જગજીતસિંહને સૌથી સફળ ગઝલ ગાયક અને સંગીતકાર માનવામાં આવે છે. એવામાં જગજીતસિંહની કેટલીક ઉત્તમ ગઝલ વિશે વાત કરીશું, જે આજે પણ સૌથી વધારે સાંભળવામાં આવે છે.

તેરે આને કી જબ ખબર મહેકે

જગજીતસિંહની આ ગઝલ સૌથી લોકપ્રિય છે. જેને નવાઝ દેવબંદીએ લખી હતી. જગજીતસિંહના અવાઝમાં આ ગઝલ આજે પણ સૌથી વધુ વખત સાંભળવામાં આવે છે.

તુમ ઈનતા જો મુશ્કુરા રહે હો

કૈફી આઝમી દ્વારા લખવામાં આવેલી આ ગઝલને જગજીતસિંહે ખૂબ જ સુંદર અવાજમાં ગાઈ છે. જેના શબ્દો છે, 'તુમ ઈતના જો મુશ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જીસકો છુપા રહે હો.'

પ્યાર કા પહલા ખત લિખને મેં

જાણીતા શાયર હસ્તીમલ હસ્તીએ આ ગઝલ લખી હતી. જગજીતસિંહની સૌથી લોકપ્રિય ગઝલો પૈકી એક છે. જેના શબ્દો ખૂબ જ અદ્દભૂત છે.

વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની

સુદર્શન ફાકિર દ્વારા લિખિત આ ગઝલને જગજીતસિંહે ગાઈ છે. જેની લોકપ્રિયતાનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે, યુટ્યૂબ પર તેના કરોડો વ્યૂઝ છે.

તુમ કો દેખા તો યે ખ્યાલ આયા

જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવેલી આ ગઝલ જગજીતસિંહની અવાજના કારણે લોકોના હોઠ પર આવી ગઈ હતી. જેના લિરિક્સ કંઈક આ પ્રકારે છે, 'તુમકો દેખા તો યે ખયાલ આયા, જિંદગી ધૂપ તુમ ઘના સાયા'

ચિઠ્ઠીના કોઈ સંદેશ

જાણીતા સંગીતકાર આનંદ બક્ષીએ આ ગઝલને લખી છે. જગજીત સિંહની આ ગઝલ આજે પણ સૌથી વધારે વખત સાંભળવામાં આવે છે.

કુછ હોશ ભી હૈ દસ્ત-એ-જુનૂન

જાણીતા શાયર અસીર અલીગઢી દ્વારા લખવામાં આવેલી આ ગઝલને જગજીતસિંહે પોતાના મધુર અવાજમાં ગાઈ છે. જેના શબ્દો કંઈક આ પ્રકારે છે, 'કુછ હોશ ભી હૈ દસ્ત-એ-જુનૂ દેખ ક્યા હુઆ, દામન તક આ ગયા હૈ ગરેબા ફટા હુઆ'

Karishma Tanna ના શાનદાર દેશી લુક્સ