ગોળને લઈને જયોતિષ શાસ્ત્રમા કેટલાક વિશેષ ઉપાયો જણાવવામા આવ્યા છે, જે ખૂબ જ અસરકારક પણ છે.
હિન્દૂ ધર્મમા ગુરુવારના દિવસને બૃહસ્પતિ દેવને સમર્પિત કરવામા આવ્યો છે. ગુરુવારના દિવસે ગોળ સાથે જોડાયેલા ઉપાયો કરવાથી અસરકારક સાબિત થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગોળ સાથે જોડાયેલા ઉપાયો માત્ર એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ માથી તમને છૂટકારો અપાવી શકે છે.
જો તમે કોઈ શુભ કાર્ય કરવા જાઓ છો તો તેમા અવરોધો આવી શકે છે. જેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ગુરુવારના દિવસે ગાય માતાને ગોળ ખવડાવો.
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગુરુવારના દિવસે ચણા અને ગોળને કેળાના પત્તામા અર્પિત કરવાથી આર્થિક તંગી માથી છૂટકારો મળે છે.
જીવનમા આવનારી અનેક સમસ્યાઓ માથી છૂટકારો મેળવવા ગોળ, હળદરની ગાંઠ અને એક રુપિયાનો સિક્કો એક પોટલીમા બાંધીને કોઈક અજાણ જગ્યા પર મૂકી દો. તેનાથી આવનારી તમામ સમસ્યાઓ માથી છૂટકારો મળે છે.
ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિ દેવને ગોળને ચડાવો. ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિ દેવને ગોળ ચડાવવાથી દરેક કાર્યમા સફળતા પ્રાપ્ત કરવાની શક્યતાઓ વધી જાય છે.