તુલસીના આ નિયમોનુ પાલન કરો, દૂર રહેશે સમસ્યાઓ


By Prince Solanki25, Dec 2023 04:24 PMgujaratijagran.com

તુલસીનુ વિશેષ મહત્વ

હિન્દૂ ધર્મમા તુલસીનુ વિશેષ મહત્વ રહેલુ છે. મોટાભાગે દરેક ઘરમા એક તુલસીનો છોડ હોય છે. રોજ તુલસીની પૂજા કરવાથી ઘરમા સુખ શાંતિનો પ્રવેશ થાય છે.

તુલસીના છોડનો સંકેત

તુલસીના છોડના સંકેતો ઘણી વસ્તુઓ કહેતા હોય છે, જો તુલસીના છોડમા કોઈપણ પ્રકારના બદલાવ અથવા તો સંકેત જણાય છે તો તેને નજરઅંદાજ ન કરો.

ન સૂકાવા દો તુલસી

ઘરે લાગેલા તુલસીના છોડને ક્યારેય સૂકાવા ન દો. જો તુલસીનો છોડ સૂકાઈ ગયો છે તો તુલસીની પૂજા કંઈક કમી રહી ગઈ છે.

ન કરો નજરઅંદાજ

જો તુલસીના પત્તા સૂકાઈ ગયા છે તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરો. તુલસીની રોજ પૂજા કરો અને તેને પાણી અર્પણ કરો.

You may also like

Vastu Tips: વાસ્તુ અનુસાર ઘરની બહાર આ લખો, નકારાત્મકતા દૂર થઈ જશે

Jyotish Tips: આજે જ કરો કપૂર સાથે જોડાયેલા આ ચમત્કારી ઉપાય, અટવાયેલા કામ પૂરા થશ

રોજ પાણી અર્પિત કરો

તુલસીના છોડને રોજ પાણી આપવુ જોઈએ પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે પાણી ન આપવુ જોઈએ.

સવાર સાંજ દીવો સળગાવો

તુલસીના છોડની પાસે રોજ સવાર સાંજ દીવો સળગાવો જોઈએ. તેનાથી તુલસી માતા પ્રશન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

રવિવાર અને એકાદશીના દિવસે ન તોડો પત્તા

રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના પત્તા ન તોડવા જોઈએ, તેનાથી તુલસી માતા નારાજ થાય છે. તેનાથી દુષ્પ્રભાવોથી પણ બચી શકાય છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શું તમને પણ રાત્રે ખરાબ સપના આવે છે? બચવા માટે અપનાવો આ ઉપાયો