દરરોજ ભાત ખાવા કેટલા યોગ્ય છે?, જાણો


By Jivan Kapuriya22, Jul 2023 04:07 PMgujaratijagran.com

જાણો

મોટાભાગના લોકોને ભાત ખાવાનું ખૂબ જ ગમે છે. તે કોઈપણ વસ્તું સાથે સ્વાદિષ્ટ લાગે છે. આવી સ્થિતિમાં એ જાણવું પણ જરૂરી છે કે રોજ ભાત ખાવાથી આપણા શરીર પર કેવા પ્રકારની અસરો થાય છે અને આપણે રોજ ભાતનું સેવન કરવું જોઈએ કે નહીં.

ફિટ રાખે

ચોખામાં સારી માત્રામાં ફાઈબર હોય છે. તેમાં બધા અનાજના તમામ ગુણો છે જે તમારા શરીરના વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે

દરરોજ યોગ્ય માત્રામાં ભાત ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. આ કિસ્સામાં તમે દરરોજ મર્યાદિત માત્રામાં ચોખાનું સેવન કરી શકો છો.

વધારે ભાત ન ખાવ

એવું કહેવામાં આવે છે કે વધુ પડતા ખાવાથી તમને મેટાબોલિક સાથે સંકડાયેલ સિન્ડ્રોમ અને અન્ય બીમારીઓ થવાનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં રોજ ભાત ખાતી વખતે તેની માત્રા પર પણ ધ્યાન આપવું જોઈએ.

પાચન બરોબર કરે

ચોખામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે ખરાબ પાચનમાં મદદ કરે છે અને આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે.ચોખા હળવો ખોરાક છે જે સરળતાથી પચી જાય છે.

એનર્જી આપે

ચોખા ઝડપથી પચી જાય છે, જેના કારણે શરીરમાં ઈન્સ્ટન્ટ એનર્જી આવે છે. આ જ કારણ છે કે ચોખાને એનર્જીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.

એનિમિયા સામે રક્ષણ

ચોખામાં આયર્ન અને કોપર જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે લોહીમાં ઓક્સિજન અને લાલ રક્તકણોને વધારવામાં મદદરૂપ થાય છે. આ કિસ્સામાં તે એનિમિયાને અટકાવવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ સારી

બ્રાઉન રાઈસમાં એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં ચોખાનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

દરરોજ ભાત ખાવાથી ફાયદો થઈ શકે છે, પરંતુ તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જો

જ્યારે ખોરાક ગળામાં ફસાઈ જાય ત્યારે શું કરવું?, આવો જાણીએ