આ ખોરાક ખાવાથી ફેફસા સ્વસ્થ રહેશે, આવો જાણીએ


By Jivan Kapuriya30, Jul 2023 12:52 PMgujaratijagran.com

ફેફસા

આજના સમયમાં ધૂમ્રપાન કરવાને કારણે ફેફસાની બીમારી વધી રહી છે. ચાલો જાણીએ કે ફેફસાને સ્વસ્થ રાખવા માટે ક્યા ખોરાકને આહારમાં સામેલ કરવા જોઈએ?

ઓમેગા-3 ફેટી એસિડ

ફેફસાને સ્વસ્થ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. જે ફેફસાને લગતી તમામ બીમારીઓને ઓછી કરે છે.

માછલી

માંસાહારી લોકો તેમના ફેફસાને સ્વસ્થ રાખવા માટે માછલીનું સેવન કરી શકે છે. તે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે.

અળસી

અળસીમાં ફાઈબર,મેગ્નેશિયમ સહિતના ઘણા પોષક તત્વો જોવા મળે છે. આને ખાવાથી ફેફસાને સ્વસ્થ કરી શકો છો.

અખરોટ

અખરોટમાં કોપર,મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. તેનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે.

સોયાબીન

સોયાબીનમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં મળતું ઓમેગા 3 ફેટી એસિડ ફેફસાને સ્વસ્થ રાખે છે.

બીટ

બીટ કાંદામાં મેગ્નેશિયમ,વિટામિન-સી અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તે ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સંતરા

સંતરામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છ. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

એપલ ટી પીવાના છે અનેક ફાયદા, આ રીતે ચા બનાવો