કેરીએ ઉનાળામાં ખાવામાં આવતું સિઝન ફળ છે, જે ફળ સામાન્ય રીતે ઉનાળામાં લોકોને ખૂબ જ પસંદ હોય છે.
કેરીમાં ફાઈબર,વિટામીન અને આવા ઘણા પોષક તત્વો હોય છે.
કેરીમાં વિટામિન A અને C હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે આંખો માટે ફાયદાકારક છે.
આ સિવાય કેરીના ફાઈબર પેટ માટે ખૂબ જ સારા છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.
આજે અમે તમને કઈ બીમારી દરમિયાન ભૂલથી પણ કેરી ન ખાવી જોઈએ તેના વિશે જણાવીશું,ચાલો જાણીએ.
જો તમે સ્થૂળતાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો તમારે કેરીનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેનાથી તમારું વજન વધી શકે છે.
કેરીમાં હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જે સુગર સ્પાઇકને વેગ આપે છે.તેથી ડાયાબિટીસના દર્દીઓએ કેરી ન ખાવી જોઈએ.
જો તમને એલર્જી હોય તો સાવચેત રહો.કેરીમાં જોવા મળતા પ્રોટીન લેટેક્સ જેવા જ હોય છે,તેથી તમારું શરીર તેને લેટેક્સ એલર્જી થઈ શકે છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.