Janmashtami 2025: જન્માષ્ટમી પર આવી રીતે કરો શ્રીકૃષ્ણની પૂજા, મળશે પુરો લાભ


By Sanket M Parekh15, Aug 2025 03:56 PMgujaratijagran.com

ભગવાન કૃષ્ણની પૂજા

શ્રાવણ મહિનામાં આવતી કૃષ્ણ જન્માષ્ટમી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર લોકો આ દિવસે ખાસ ઉપવાસ કરે છે અને ભક્તિભાવ પૂર્વક ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. તો ચાલો જાણીએ આ દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ?

શરીર શુદ્ધ કરો

ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતાં પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણની સ્થાપના

પૂજા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની યોગ્ય જગ્યાએ સ્થાપના કરવી જોઈએ. આ માટે બાજોઠ કે પાટલા પર સ્વચ્છ કપડું પાથરીને તેના પર શ્રીકૃષ્ણની સ્થાપના કરો.

પૂજાનો થાળ સજાવો

ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા માટે એક થાળીમાં જળ, કંકુ, ચંદનની પેસ્ટ, ધૂપ, આરતી માટે દીવા અને કેટલાક સુગંધિત ફૂલો રાખો.

પંચામૃતનો ભોગ ધરાવો

જન્માષ્ટમી પર દૂધથી બનેલી મીઠાઈઓ બનાવવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ દૂધ, દહી અને માખણના શોખિન હતા. આથી પૂજાની થાળીમાં પંચામૃત મીઠાઈનો ભોગ ધરાવવા માટે જરૂર રાખો.

લડ્ડુ ગોપાલને સ્નાન કરાવો

જન્માષ્ટમી પર પૂજા કરતા પહેલા લડ્ડુ ગોપાલને દૂધ, દહીં, ઘી, મધ મિક્સ કરીને સ્નાન કરાવો. જે બાદ જળમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરાવો

લડ્ડુ ગોપાલને શ્રૃંગાર કરો

લડ્ડુ ગોપાલને શ્રૃંગાર કરવા માટે તેમના માથા પર ચંદન લગાવો અને સ્વચ્છ કપડા પહેરાવો. આ સાથે જ મુગટ અને વાંસળીથી લડ્ડુ ગોપાલને સજાવો.

પૂજા કરો

ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ આરતી કરો અને તેમને પંચામૃતનો ભોગ ધરાવો. જે બાદ આંખો બંધ કરીને હાથ જોડીને પાર્થના કરો અને પછી પ્રસાદ સૌ કોઈને આપો.

Janmashtami 2025: જન્માષ્ટમી પર ના કરશો આ ગંભીર ભૂલ, નહીંતર કંગાળ થતા વાર નહીં લાગે