એલોવેરા જેલનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ મળે છે. એલોવેરાના જેલને તમે વાળમાં પણ લગાવી શકો છો. ચલો જાણીએ એલોવેરાના જેલને વાળમાં કેવી રીતે લગાવી શકાય?
તમે એલોવેરાના જેલને નીકાળીને પણ વાળમાં સીધું લગાવી શકો છો. તેનાથી વાળને ભરપૂર પોષણ મળે છે. તેને લગાવાથી વાળમાં પ્રાકૃતિક રીતે ચમક આવે છે.
સલ્ફરના ગુણોથી ભરપૂર ડુંગળીના રસમાં એલોવેરાના જેલને મિક્સ કરીને લગાવો. તે કોલેજનના ઉત્પાદનને વધારે છે.
એલોવેરા જેલને ગુલાબના જળ સાથે મિક્સ કરીને પણ તમે વાળમાં લગાવી શકો છો. તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.
વાળને લાંબા અને ઘેરા બનાવવા બદામના તેલને એલોવેરા જેલને મિક્સ કરીને તમે વાળમાં લગાવી શકો છો.
સરસોના તેલમાં એલોવેરા જેલને મિક્સ કરીને લગાવવાથી તમારા વાળમાં ચમક આવે છે. તમે આ મિશ્રણથી માથામાં મસાજ કરી શકો છો.
એલોવેરાના જેલમાં વિટામિન ઈ કેપ્સુલનું ઓઇલ મિલાવીને લગાવવાથી તેના એન્ટી ઓક્સીડેંટ્સ ગુણ માથના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે.