યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે પીવો આ હેલ્ધી ડ્રિન્ક, તરત જ મળી જશે આરામ


By Sanket M Parekh25, Oct 2023 04:27 PMgujaratijagran.com

અજમાનો નુસખો

આયુર્વેદ મુજબ, અજમો ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જે તમે પણ યુરિક એસિડ વધવાથી થનારી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, તો અજમાનો એકદમ સરળ દેશી નુસખો ટ્રાય કરી શકો છો.

અજમો અને સંચળ

અજમો અને સંચળથી તૈયાર થનારા ડ્રિન્કમાં રહેલ એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણ પગમાં સોજાને ઓછા કરી શકે છે અને દુખાવામાં રાહત અપાવે છે. યુરિક એસિડ વધવાથી હાડકામાં સોજા અને દુખાવો થાય છે, જેને આ ડ્રિન્ક ઓછું કરી શકે છે.

પથરીથી છૂટકારો

અજમો અને સંચળથી બનેલું ડ્રિન્ક પથરીને બહાર નીકાળવાનું કામ કરે છે. જેનાથી શરીર ડિટૉક્સીફાઈ કરવામાં મદદ મળે છે. આ ડ્રિન્કને દરરોજ પીવાથી હાડકાનું દુખાવો ઓછો થઈ શકે છે.

મોટાબૉલિજ્મ વધારશે

જણાવી દઈએ કે, અજમો અને સંચળથી બનેલા આ ડ્રિન્કનું સેવન કરવાથી મેટાબૉલિક રેટ વધી શકે છે. મેટાબૉલિજ્મ વધવાથી પ્યૂરિન જલ્દી પચવા લાગે છે અને ટૉઈલેટની સાથે આપણી બૉડીમાંથી બહાર નીકળી જાય છે.

કેવી રીતે બનાવશો આ ડ્રિન્ક?

જો તમે ઘરે આ એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણોથી ભરપુર ડ્રિન્ક બનાવવા માંગતા હોવ, તો તમારે માત્ર અજમો અને સંચળને પાણીમાં મિક્સ કરીને બરાબર હલાવી દેવાનું છે. આ રીતે તમારું ડ્રિન્ક તૈયાર થઈ જશે.

તણાવ દૂર કરવા માટે અપનાવો આ આસાન ટિપ્સ, ચિંતાથી જરૂર મળશે છૂટકારો