રાજકોટમાં રસિકભાઈનો ક્રિસ્પી અને ટેસ્ટી ચેવડો ખૂબ પ્રખ્યાત છે, લોકો તેને નાસ્તા તરીકે ખૂબ જ પસંદ કરે છે તેથી તમારે જો આ ચેવડાને ઘરે બનાવવો હોય તો અમે અહીં સરળ રેસીપી જણાવીશું.
1 કિલો પૌંવા, 100 ગ્રામ ચણાની દાળ, મગફળીના ફળા, મરચું પાવડર, ધાણાજીરું પાવડર, હળદર, મીઠું, ખાંડ, તેલ વગેરે.
સૌ પ્રથમ ચણાની દાળને આખી રાત પલાળી રાખો અને સવારે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરીને શીંગફાળા, ચણાની દાળ તળી એક વાસણમાં કાઢી લો.
હવે તે જ રીતે પૌંવાને તળીને એક વાસણમાં કાઢી લો.
હવે તેમાં તમામ મસાલા અને ઈચ્છા મુજબ ડ્રાયફૂટ્સ ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે તમારો ક્રિસ્પી પૌંવાનો ચેવડો, તમે તેનો આનંદ માણો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.