વરસાદની ઋતુમાં ઘરમાં જીવજંતુઓથી કેવી રીતે બચવું


By Jivan Kapuriya18, Jul 2023 04:48 PMgujaratijagran.com

જાણો

વરસાદની ઋતુમાં જીવજંતુઓનો ખૂબ ઉપદ્રવ થાય છે. જે કરડવાના કારણે કેટલાક પ્રકારના સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે. આવો જાણીએ તનાથી બચવા માટે કેટલાક ઉપાય.

પાણી ભેગુ ન થાય

સૌથી પહેલા ઘરમાં કે ઘરની આસપાસ પાણી જમા ન થવા દો. જેના કારણે જીવજંતુઓ જેવા કે કીડા-મકોડા,મચ્છર વગેરેનો ઉપદ્રવ થાય છે જેના કારણે બીમારીઓનું જોખમ વધી જાય છે.

ઘર સાફ રાખો

વરસાદની ઋતુ દરમિયાન ઘરને હંમેશા સાફ રાખો, સાથે જ ભીનાશ ન થવા દો. આ જીવજંતુઓને ઝડપથી આકર્ષે છે.

વંદો ભગાવવા માટે

આ ઋતુમાં ઘરની અંદર ઘણા વંદાઓ આવે છે.તેથી નેપ્થાલિનની ગોળીઓ વિવિધ સ્થળોએ રાખો, જેમ કે વોશ બેસિન પાસે,ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પાસે, રસોડામાં બોક્સની વચ્ચે વગેરે આનાથી વંદાથી છુટકારો મળશે.

કપૂર સળગાવો

વરસાદની ઋતુમાં ઘરમાં અથવા ઘરની બહાર કપૂર સળગાવી શકો છો. તેની દુર્ગંધથી માખીઓ અને મચ્છર આવવતા નથી સાથે જ ઘર પણ સુગંધિત હોય છે.

ફૂગથી રાહત

પુસ્તકો અથવા દિવાલો પર ફૂગ અથવા ઉધઈથી બચવા માટે ઘરમાં ભીનાશ ન થવા દો. સમયાંતરે પુસ્તકોને સાફ કરો અને તેની જગ્યા બદલાવો.

લેમન ગ્રાસથી રાહત

તમે ઘરે લેમન ગ્રાસનો છોડ લગાવી શકો છો. માખીઓ અને મચ્છર તેની સુગંધથી ભાગી જાય છે અને તમે વરસાદની ઋતુમાં જંતુઓથી સુરક્ષિત રહી શકો છો.

અન્ય ટિપ્સ

આ બધા સિવાય વરસાદમાં મચ્છરદાની લગાવીને સૂઈ જાઓ, સાથે જ તાજો ખોરાક લો.જંતુ કરવાના કિસ્સામાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.

વરસાદની મોસમમાં જંતુઓથી છુટકારો મેળવવા માટે આ ટિપ્સ અજમાવો.

ઉપવાસ દરમિયાન મીઠા વગર બનાવો આ વાનગીઓ