ઘરમાં વધી ગયો છે માખીઓનો ત્રાસ, તો પરેશાન ના થાવ; અપનાવો આ ઉપાય પછી જુઓ ચમત્કાર


By Sanket Parekh15, Apr 2023 03:01 PMgujaratijagran.com

કપૂર

માખીઓથી છૂટકારો મેળવવા માટે કપૂરનો ઉપયોગ કરો. 10-12 કપૂર લો, જેને પીસીને પાવડર બનાવી લો. આ પાવડરને પાણીમાં મિલાવીને આ સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં છાંટી દો.

વિનેગાર

એક બાઉલમાં એપલ વિનેગાર લો, જેમાં નીલગિરીનું તેલ મિલાવી દો. હવે આ સ્પ્રે બોટલમાં ભરીને માખીઓ વાળી જગ્યા પર છાંટી દો. આ ઉપાય માખીઓને ભગાડવા માટે કારગર છે.

મરચાનો સ્પ્રે

મરચાની તીવ્ર વાસથી માખીઓ ભાગી જાય છે. આ માટે 6-7 સૂકાયેલા લાલ મરચા મિક્સ્ચરમાં પીસી લો. આ પાવડરને પાણીમાં મિલાવીને સ્પ્રે બોટલમાં ભરી દો. હવે તેને ઘરમાં છાંટી દો.

તુલસી

માખીઓને દૂર કરવા માટે તુલસીનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે તુલસીના પાનની પેસ્ટ બનાવી લો, હવે સ્પ્રે બોટલમાં પાણી નાંખીને આ પેસ્ટ મીલાવી દો અને ઘરમાં સ્પ્રે કરી દો.

તજનો પાવડર

માખીઓને ભગાડવા માટે તજના પાવડરનો ઉપયોગ કરી શકો છો. જેની ગંધથી માખીઓ દૂર ભાગે છે. ઘરમાં માખીઓ હોય, તે જગ્યાએ તજના પાવડરનો છંટકાવ કરી દો.

મીઠાનું પાણી

માખીઓથી છૂટકારો મેળવવા માટે એક બાઉલમાં પાણી લો, જેમાં મીઠુ નાંખીને સારી રીતે મિક્સ કરી દો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં છાંટવું જોઈએ.

બાથરૂમની ગટર ઉભરાય છે, તો અજમાવો આ ઉપાય; મિનિટોમાં રિમૂવ થશે બ્લોકેજ