કબજીયાતમાં આ રીતે આદુનું સેવન કરો
By Jivan Kapuriya
2023-05-19, 18:48 IST
gujaratijagran.com
લાભ
આદુ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. કબજીયાતની સમસ્યામાં તમે એનું સેવન કરી શકો છો. ગુજરાતી જાગરણ જણાવશે કેવી રીતે તેનું સેવન કરવું.
આદુના પોષકતત્વો
વિટામીન સી, મેગ્નીશિયમ, કેલ્શિયમ, વિટામિન એ, કાર્બોહાઈડ્રે્ટ્સ.
આદુનું પાણી
કબજીયાતમાં આદુના પાણીનું સેવન કરી શકો છો. આ માટે હુફાળા પાણીમાં આદુના ટુકડા અને છીણ નાખો. હવે તેને ગાળીને પી લો. ઘણી રાહત મળશે.
હુફાળા પાણી સાથે
કબજીયાતની સમસ્યામાં સવારે ખાલી પેટે હુફાળા પાણી સાથે તમે આદુનું સેવન કરી શકો છો. પેટ સાફ થશે અને અપચાની સમસ્યા હલ થશે.
આદુનું ચૂર્ણ
આદુનું ચૂર્ણ, કબજીયાત, અપચા સાથે મોર્નિંગ સિકનેસમાં રાહત આપે છે.
આદુ અને સિંધવ મીઠું
આદુ અને સિંધવ મીઠુંનું મિશ્રણ કબજીયાતની સમસ્યામાં રાહત આપે છે. આદુના ટુકડાને ગેસ પર ગરમ કરો. હવે તેમાં નમક મિક્સ કરી ધીમે ધીમે ખાઓ.
ગુજરાતી જાગરણની આ માહિતી તમને પસંદ પડી હોય તો શેર કરો.
બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ગળાનું આ રીતે કરો સેવન
Explore More