મહેનત વિના નાળિયેરને કાચલીથી અલગ કરવા આ ટિપ્સ અજમાવો, 1 મિનિટમાં થઈ જશે કામ


By Sanket M Parekh09, Jul 2023 04:14 PMgujaratijagran.com

ગેસ પર ગરમ કરો

નારિયેળને બે ટૂકડામાં તોડીને તેને ગેસ પર ઊંધુ મૂકીને ગરમ કરો. જે બાદ ઠંડા પાણીમાં નાંખો અને પછી ચમચીની મદદથી હળવેથી કોતરવાથી નારિયેર સરળતાથી કાચલીથી દૂર થઈ જશે.

ગરમ પાણી

નારિયેળને છઓલ્યા બાદ તેને 10 મિનિટ સુધી ગરમ પાણીમાં નાંખો. જે બાદ ઠંડા પાણીમાં નાંખો. આમ કરવાથી નારિયેળ સરળતાથી કાચલીથી દૂર થઈ જશે.

પાણીમાં પલાળો

એક નારિયેળને ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પલાળીને રાખો. જે બાદ 15 મિનિટ સુધી તડકામાં સૂકવો. હવે નારિયેળ સરળતાથી નીકળી જશે.

ઓવનમાં ગરમ કરો

આ માટે સૌ પ્રથમ નારિયેળને ઉપરથી સાફ કરી નાંખો. જે બાદ ઓવનને 40 ડિગ્રી પર પ્રીહીટ કરી લો. જે બાદ નારિયેળ આરામથી કાચલીથી દૂર થઈ જશે.

ફ્રીજમાં રાખો

નારિયેળને રાત માટે ફ્રીજરમાં રાખી દો. જ્યારે નારિયેળ જામી જાય તો તેના પર હળવા હાથે હથોડી મારો. આમ કરવાથી તમારું નારિયેળ સરળતાથી તૂટી જશે.

ચાકુની મદદ લો

ચાકુની મદદથી નારિયેળની છાલ ઉતારી લો. જેથી તમે સરળતાથી કાચલી અને નારિયેળને અલગ કરી શકશો.

વરસાદની સિઝનમાં ઘરમાં બણબણતી માખીઓથી છૂટકારો મેળવવા ફૉલો કરો આ ટિપ્સ, અનેક બીમારીઓથી બચશો