જમ્યા પછી ઘણા સમય બાદ પણ જો જમવાનુ પચતુ નથી તો તે શરીરના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેનાથી પેટમા દુખાવો અને ઓડકાર જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ભોજન પચાવવામા સમસ્યા થતા લોકો ભોજન કરવાનુ ટાળતા હોય છે. જો જમ્યા પછી ક્લાકો બાદ પણ ભોજન પચવામા સમસ્યા થઈ રહી છે તો તમારે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.
ચલો જાણીએ કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જેને અમલમા મૂકવાથી ભોજન 30 મિનીટમા પચી શકે છે. ચલો જાણીએ તે ઉપાયો વિશે.
જો જમ્યા પછી પણ તમારુ ખાવાનુ પચતુ નથી તો તમે 10 થી 15 મિનીટ પછી નવસેકુ ગરમ પાણી પી શકો છો. તેનાથી ભોજન પચાવવામા સરળતા રહે છે.
ભોજન પચાવવા માટે દહીં અને કાળુ મીઠુ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે પેટમા ઠંડક પહોંચાડે છે. જો તમે મસાલેદાર જમવાનુ જમ્યા છો તો તેના પર દહીં અને કાળુ મીઠુ જરુરથી ખાઓ.
અપચાની સમસ્યા થવા પર તમે 1 ચપટી અજમાનુ સેવન જરુરથી કરો. તે માટે 1 ચપટી અજમો લો અને તેમા થોડુ કાળુ મીઠુ ઉમેરીને તેનુ સેવન કરો.
વરિયાળીનુ પાણી પીવાથી તમારી અપચાની સમસ્યા દૂર થઈ શકે છે. તેના સેવન માટે એક ગ્લાસ પાણીમા ટીસ્પુન નાખીને પીઓ.