ઉનાળાના દિવસોમાં મચ્છરોનો ત્રાસ મુશ્કેલી સર્જે છે. મચ્છરોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર અસરકારક સાબિત થઈ શકે છે.
કડવા લીમડાના પાન સળગાવો, તેનો ધુમાડો મચ્છરોથી બચવે છે. તમે તેને કપૂર સાથે પણ ધુમાડો કરી શકો છો.
તુલસીના પાનની ગંધ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે. ઘરની બારી કે દરવાજા પાસે તુલસીનો છોડ લગાવવાથી મચ્છરો અંદર આવતા અટકાવે છે.
નારિયેળ અને લીમડાનું તેલ અથવા લીમડાને પીસીને મિક્સ કરીને શરીર પર લગાવવાથી મચ્છરો નજીક આવતાં અટકે છે. તે મચ્છર ભગાડવાની કુદરતી રીત છે અને તે ત્વચાને નુકસાન પણ નથી કરતું.
કપૂરમાં રહેલા પ્રાકૃતિક તત્વો મચ્છરોને ભગાડે છે. રૂમમાં કપૂર સળગાવો અને થોડી વાર માટે બારી-બારણાં બંધ કરી દો. થોડીવારમાં મચ્છર ગાયબ થઈ જશે.
લસણની તીખી ગંધ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે. લસણની થોડી કળીઓને પાણીમાં ઉકાળી પછી તે ઠંડુ થાય એટલે તેને સ્પ્રે બોટલમાં ભરીને ઘરના ખૂણે-ખૂણે છાંટવાથી મચ્છરો ભાગી જશે.
લેમનગ્રાસ અને લવંડર તેલની સુગંધ મચ્છરોને દૂર રાખે છે. તમે તેને નાળિયેર તેલમાં મિક્સ કરીને શરીર પર લગાવી શકો છો અથવા તેને રૂમ ડિફ્યુઝરમાં મૂકી શકો છો અને તેની સુગંધ ઘરમાં ફેલાવી શકો છો.
આ સરળ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને, તમે મચ્છરોથી બચી શકો છો.
જીવનશૈલી સંબંધીત આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.