નબળાઈ દૂર કરીને વજન વધારવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, થોડા દિવસમાં ફર્ક દેખાશે


By Sanket M Parekh30, Jun 2023 04:12 PMgujaratijagran.com

લાઈફસ્ટાઈલ

અનેક લોકો ખૂબ ખાવા છતાં હંમેશા પાતળા જ રહે છે. જો કે આવું માત્ર ખોટી ખાણીપીણી અથવા લાઈફ સ્ટાઈલના કારણે જ થાય છે.

ઘરગથ્થુ ઉપાય

તો ચાલો જાણીએ કે, કેવા સરળ ઉપાયોની મદદથી પાતળાપણાની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.

દૂધ અને કેળા

દૂધ અને કેળામાં પ્રોટીન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વો મળી આવે છે. જેના કારણે શરીરનું વજન ઝડપથી વધે છે.

યોગ

વજન વધારવા માટે યોગ પણ કારગર ઉપાય છે. સવારના સમયમાં યોગ કરવાથી પણ વજન વધી શકે છે. આ સાથે જ તણાવમાંથી પણ મુક્તિ મળે છે.

ભાત

ભાતમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ મળી આવે છે. જો તમે પણ ભાતને ડેઈલી ડાયટમાં સામેલ કરો, તો વજન વધી શકે છે.

ઈંડા

ઈંડામાં કેલેરી અને ફેટનું પ્રમાણ વધારે હોય છે. પાતળાપણાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઈંડાનું દરરોજ સેવન કરી શકો છો.

બ્રેકઅપ બાદ થનારા ડિપ્રેશનથી આવી રીતે મેળવો છૂટકરો