આંખમાં બળતરા અને પાણી નીકળે છે તો જરૂર અપનાવો આ ઘરેલુ ઉપાય


By Hariom Sharma05, Jun 2023 07:33 PMgujaratijagran.com

આંખોમાં બળતરા અને પાણી

ઘણાં લોકોને ગરમીની સીઝનમાં આંખમાં બળતરા અને પાણી નીકળવાની સમસ્યા વધી જાય છે. જો તેની અવગણના કરવામાં આવે તો સમસ્યા વધી શકે છે.

આ છે કારણ

આંખોમાં બળતરા અને પાણી આવવાનું મુખ્ય કારણ છે ધૂળ-માટી, પ્રદૂષણ, ધૂમાડો હોઇ શકે છે. આંખોમાં ડ્રાઇનેસ, વધુ સ્ક્રીન સમયનું કારણ બની હોઇ શકે છે.

ગુલાબજળ

આંખોમાં બળતરાની સમસ્યા થવા પર ગુલાબજળ નાંખી શકો છો. આનાથી આંખો સારી ક્લિન થાય છે. આંખોને ફ્રેશનેસ અનુભવ થાય છે અને બળતરા ઘટે છે.

ખીરાની સ્લાઇસ

ગરીમાં કેટલાક લોકોને આંખોમાં વધારે પડતી બળતરાની સમસ્યા થાય છે. આંખો પર ખીરા રાખવાથી ઠંક મળે છે, આંખોમાં પાણી આવતું પણ બંધ થાય છે.

એલોવેરા જેલ

આંખો પર એલોવેરા જલ લગાવવાથી આંખોને ઘણો લાભ થાય છે. આંખો મોઇશ્ચરાઇઝર થાય છે. આંખોને ઠંડક મળે છે.

ગ્રીન ટી બેગ

ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે. ગ્રીન ટી બેગને આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે. આને 10 મિનિટ માટે ફ્રિજમાં રાખ્યા બાદ આંખો પર રાખો.

ચહેરા પર નારિયળનું દૂધ લગાવવાના ફાયદા