ચહેરા પર નારિયળનું દૂધ લગાવવાના ફાયદા


By Hariom Sharma05, Jun 2023 10:00 AMgujaratijagran.com

નારિયળનું દૂધ ત્વચા માટે ખૂબ ગુણકારી હોય છે. આને ચહેરા પર લગાવવાથી ત્વચા મોઇશ્ચરાઇઝ રહેવાની સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે. આવો જાણીએ ચહેરા પર નારિયળ તેલ લગાવવાના કેટલાક ફાયદા વિશે.

કરચલીઓ ઘટે છે

નારિયળ દૂધ ત્વચા પર થતી કરચલીઓ ઘટાડવાની સાથે એજિંગના લક્ષણો પણ દૂર કરે છે. આને ચહેરા પર લગાવવાથી કરચલીઓના નિશાન ઘટે છે અને ચહેરો ચમકદાર બને છે.

ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે

નારિયળનું દૂધ ત્વચા માટે પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝનું કામ કરે છે. આને ચહેરા પર લગાવવાથી ત્વચામાં નમી બની રહે છે, જેનાથી ચહેરા પર ડ્રાઇનેસ થતી નથી.

ત્વચાની ઇલાસ્ટિસિટી વધારે

ત્વચાની ઇલાસ્ટિસિટીનો ઘટાડો એ ત્વચાને લગતી ઘણી સમસ્યાઓના કારણે થાય છે. નારિયળ દૂધમાં વિટામિન ઈ અને વિટામિન સી હોય છે, જે ત્વચાની ઇલાસ્ટિસિટીને વધારવામાં મદદ કરે છે.

સનબર્નથી બચાવે

ત્વચા પર નારિયળ દૂધ લગાવવાથી સનબર્ન એટલે સૂરજના કિરણો દ્વારા ત્વચા પર થતાં નુકસાનમાં ઘટાડો કરે છે. આ માટે તમે કોટન બોલને નારિયળ દૂધમાં ડિબ કરીને ચહેરા પર લગાવી શકો છો.

ચહેરા પર ગ્લો આવે છે

નારિયળના દૂધમાં વિટામિન સી, વિટામિન ઈ જેવા પોષકતત્ત્વો હોય છે, જે ત્વચા પર પ્રાકૃતિક રીતે ગ્લો લાવે છે. આને લગાવવાથી ડાઘા-ધબ્બા ઘટે છે અને ત્વચા પર નીખાર આવે છે.

સારી ઊંઘ માટે સૂતા પહેલાં શું ખાવું જોઇએ?