આ મંદિરને 1000 વર્ષ જૂનુ માનવામાં આવે છે. અહીં ભગવાન શિવના પંચ કેદારો પૈકી એક રૂપની પૂજા કરવામાં આવે છે.
એવું મનાય છે કે, પાંડવો દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.
તુંગનાથ મંદિરમાં ભગવાન શિવના હાથની પૂજા કરવામાં આવે છે. જે વાસ્તુકલા અને ઉત્તર ભારતીય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે.
આ સૌથી ઊંચા શિવ મંદિરની ટોચ ત્રણ ધારાનો સ્ત્રોત છે, જ્યાંથી અક્ષકામિની નદી બને છે.
આ મંદિર ચોપતાથી 3 કિમી દૂર આવેલું છે. જેના મુખ્ય પ્રવેશ દ્વાર પર નંદીની પથ્થરની મૂર્તિ છે.
એવું મનાય છે કે, ઉત્તરાખંડ સ્થિત આ મંદિરમાં ભગવાન શિવના હ્રદય અને ભૂજાઓની પૂજા થાય છે.
તુંગનાથ મંદિર ભારે હિમવર્ષાના કારણે નવેમ્બરથી માર્ચ વચ્ચે બંધ રહે છે. આ દરમિયાન અહીં જવાની યોજના ના બનાવશો.