Health Tips: સફરજન ખાવાથી પણ પડી શકો છો બીમાર, આવા લોકો ખાવાનું ટાળે?


By Sanket M Parekh21, Sep 2024 03:19 PMgujaratijagran.com

કોણે સફરજન ના ખાવા?

સફરજનનું સેવન અનેક સમસ્યાઓમાં ફાયદેમંદ મનાય છે. જો કે કેટલીક સમસ્યામાં સફરજન ખાવાથી નુકસાન પણ થઈ શકે છે.

પેટની સમસ્યા

જો કોઈને પેટની સમસ્યા હોય, તો તેમણે સફરજનનું સેવન ઓછું કરવું જોઈએ.વધારે પડતા સફરજનનું સેવન પાચન તંત્ર બગાડી શકે છે.

દુબળા લોકો

જો કોઈ વ્યક્તિ દૂબળો-પાતળો હોય, તો તેણે પણ સફરજનનું સેવન ના કરવું જોઈએ. સફરજનનું સેવન વજન ઘટાડે છે. આથી દુબળા લોકો સફરજન ના ખાય તો વધારે સારું.

ડાયાબિટીશના દર્દી

જો તમે ડાયાબિટીશના દર્દી હોવ, તો તમારે સફરજનનું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ, કારણ કે સફરજનમાં નેચરલ સુગર હોય છે, જે તમારું સુગર લેવલ વધારી શકે છે.

દાંતની સમસ્યા

જે લોકોને દાંતની સમસ્યા હોય, તેમણે પણ સફરજનનું બને તેટલું ઓછું સેવન કરવું જોઈએ. વધારે પડતા સફરજન ખાવાથી દાંતની સમસ્યા વધી શકે છે.

સ્કિન એલર્જી

જો કોઈ વ્યક્તિને સ્કિન એલર્જી સબંધિત સમસ્યા હોય, તો તેમણે પણ સફરજનનું સેવન ટાળવું જોઈએ. ઘણાં લોકોને સફરજન ખાવાથી ચહેરા પર ઝીણી-ઝીણી ફોલ્લીઓ થઈ શકે છે.

રોજ કેટલા સફરજન ખાવા જોઈએ?

સફરજનનું વધુ પડતું સેવન નુક્સાનદાયક હોય છે, પરંતુ રોજ એક સફરજન ખાવ તો કોઈ નુક્સાન નથી થતું. સફરજનનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ.

ઘરે આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે કબજિયાતથી રાહત મેળવી શકો છો