કારેલા સાથે ભૂલથી પણ ના ખાવ આ વસ્તુ, નહીંતર વધી જશે બીમારીનો ખતરો


By Sanket M Parekh22, Oct 2023 03:43 PMgujaratijagran.com

કારેલા

કારેલા એક પૌષ્ટિક શાકભાજી છે, જે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે લાભદાયી છે. કારેલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીશ સહિત અનેક બીમારીઓથી બચી શકાય છે.

કારેલા સાથે શું ના ખાવું જોઈએ?

જો કે કારેલાને કેટલીક વસ્તુઓ જોડે, ક્યારે ના ખાવી જોઈએ, નહીંતર સ્વાસ્થ્યને નુક્સાન થઈ શકે છે.

દૂધ

કારેલામાં રહેલ કેટલાક કમ્પાઉન્ડ દૂધમાં રહેલ પ્રોટીન સાથે વિપરિત અસર કરી શકે છે. જેનાથી કબજિયાત, ઝાડા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

કેરી

કારેલા અને કેરીને એક સાથે ખાવાથી એસિડિટી અને ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે. આથી કેરી અને કારેલાને જોડે ખાવાનું ટાળવું જોઈએ.

મૂળા

કારેલા અને મૂળા બન્નેની તાસીર અલગ-અલગ હોય છે અને બન્નેને એકસાથે ખાવાથી પેટમાં ગરબડ થઈ શકે છે. જેનાથી કબજીયાત, ઝાડા અને પેટામાં દુખાવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે.

ભીંડા

કારેલા અને ભીંડા બન્નેને પચવામાં સમય લાગે છે. બન્નેને એકસાથે ખાવાથી પેટમાં ગરબડ થઈ શકે છે. જેનાથી કબજીયાત, ઝાડા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

દહી

કારેલા અને દહી બન્નેને પચવામાં સમય લાગે છે. આ બન્નેને એકસાથે ખાવાથી પેટમાં ગરબડ થઈ શકે છે. જેનાથી કબજીયાત, ઝાડા અને પેટમાં દુખાવા જોવી સમસ્યા ઉભી થાય છે.

ખાલી પેટ 15 દિવસ સુધી ખાવ લીમડાના પત્તા, થશે ચમત્કારિક ફાયદા