કાજુને દૂધમાં પલાળીને ખાવા હાડકા માટે ફાયદેમંદ છે. જેમાં વિટામિન-કે અને કેલ્શિયમની ભરપુર હોય છે, જે હાડકાને મજબૂત કરવાની સાથે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે
પેટની સમસ્યામાં રાહત મેળવવા માટે કાજુને રાતભર પલાળીને રાખ્યા બાદ સવારે ખાઈ જાવ. જેથી કબજિયાત, પેટ ફૂલવુ અને ગેસ વગેરે સમસ્યામાંથી રાહત મળે છે. આ સાથે પાચનતંત્ર પણ હેલ્ધી રહે છે.
જો તમે વજન વધારવા માંગો છો, તો કાજુને રાતભર દૂધમાં પલાળીને રાખીને ખાઈ શખો છે. જેમાં હેલ્ધી ફેટ્સ રહેલા હોય છે, જે વજન વધારવામાં મદદ કરે છે.
કાજુને દૂધમાં પલાળીને ખાવાથી ઈમ્યૂનિટી પણ વધે છે. જે રેડ બ્લડ સેલ્સને વધારવા સાથે ઈમ્યૂનિટીને મજબૂત બનાવે છે. જેથી શરીરમાં ઈન્ફેક્શન થવાનો ખતરો ઓછો થાય છે.
કાજુ સ્કિન માટે પણ હેલ્ધી હોય છે. જેમાં જિંક, સેલેનિયમ અને એન્ટી ઑક્સીડન્ટ હોય છે. જે સ્કિન પર ગ્લો લાવવાની સાથે ફ્રી રેડિકલ્સથી પણ બચાવે છે.