જાયફળ સામાન્ય રીતે ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે ઉપયોગ કરાય છે. પણ તે તમારી બિમારીને કેવી રીતે દૂર કરી શકે છે તેના વિશે આજે અહીં વાત કરીશું.
જાયફળ બ્લડપ્રેશર અને અનિંદ્રાની સમસ્યામાં કારગર છે.
જાયફળ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
જાયફળમાં એંટીબેક્ટેરિયલ અને એંટી-ઇંફ્લેમેટરીના ગુણ હોય છે જાયફળના તેલના પણ ઘણા લાભ છે. તે સોજા, માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી રાહત આપે છે.
જાયફળનું નિયમિત સેવન કરવાથી વજન કંટ્રોલ થાય છે. ગેસ અને અપચાની સમસ્યા પણ દૂર થાય છે.
જાયફળમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે, જે દાંતમાં સડો થવા દેતો નથી.