જાયફળ અને સરસોનુ તેલ દૂર કરશે આ 5 રોગ


By Prince Solanki01, Jan 2024 11:18 AMgujaratijagran.com

જાયફળ અને સરસોનુ તેલ

જાયફળ અને સરસોના તેલનુ મિશ્રણ શરીરને સ્વાસ્થ્ય સંબઘિત અનેક ફાયદા આપે છે. તે શરીરની અનેક સમસ્યાઓ દૂર કરે છે. ચલો જાણીએ જાયફળ અને સરસોના તેલથી શરીરને મળતા સ્વાસ્થ્ય સંબધિત ફાયદાઓ વિશે.

એક્સપર્ટની સલાહ

ડો. રાહુલ ચતુવેર્દીના જણાવ્યા પ્રમાણે ઠંડીમા જાયફળ અને સરસોના તેલના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે, જે તમને અનેક રોગ સામે લડવાની શક્તિ આપે છે.

સાંધાના દુખાવો

સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા માટે તમે જાયફળ અને સરસોના તેલના મિશ્રણથી દુખાવાના ભાગ પર માલિશ કરો. તેમા રહેલા એંટી ઓક્સિડેંટ અને એંટી ઈફ્લેમેટરી ગુણ દુખાવા માથી રાહત આપે છે.

માંસપેશિઓના દુખાવામા ફાયદાકારક

માંસપેશિઓના દુખાવામા રાહત મેળવવા માટે તમે જાયફળના પાઉડર અને સરસોના તેલને મિક્સ કરીને તેનાથી માલિશ કરો. તેમા રહેલા ગુણ દુખાવાને ઓછો કરે છે.

ઠંડી અને તાવમા રાહત

ઠંડીમા તાવ અને શરદી સમસ્યા થવી એક સામાન્ય વાત છે. એવામા જો તમે આ દરમિયાન થતા વાયરલથી બચવા માંગો છો તો જાયફળ અને સરસોના તેલનો ઉપયોગ કરો. આ માટે તમે જાયફળને સારી રીતે પીસો અને તેમા સરસોના તેલને ઉમેરો. ત્યારબાદ રાતે સૂતા પહેલા નવસેકા ગરમ પાણી સાથે તેનુ સેવન કરો.

ઈજાને દૂર કરે

જાયફળ અને સરસોના તેલનો ઉપયોગ શરીર પર લાગેલી ઈજામાથી રાહત મેળવવા માટે કરી શકાય છે. આ માટે એક ચમચી જાયફળ પાઉડર અને એક ચમચી સરસોનુ તેલ મિક્સ કરી ઈજા વાળા ભાગ પર લગાવો.

ફાટેલી પગની એડીઓથી છૂટકારો

જાયફળ અને સરસોનુ તેલ પગની ફાટેલી એડિઓથી છૂટકારો અપાવે છે. આ મિશ્રણને ફાટેલી પગની એડિઓ પર લગાવવાથી ક્રેક દૂર થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં નિરોગી રહેવા માટે તુલસીના પાનનો ઉકાળો અચૂક પીવો