મગના સ્પ્રાઉટ્સમાંથી ક્યાં સ્વાસ્થ્ય લાભો મળે છે, જાણી લો


By Vanraj Dabhi31, Aug 2023 04:16 PMgujaratijagran.com

જાણો

મગના અંકુર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. અને શા માટે તેને તમારા નિયમિત આહારમાં સામેલ કરવું મહત્વપૂર્ણ છે.

પોષક તત્વોથી ભરપૂર

તંદુરસ્ત શરીર માટે વિટામિન-કેની દરરોજની જરૂરિયાતોને પૂરી કરવા માટે મગની દાળના અંકુરનો સારો સ્ત્રોત છે.આ સ્પ્રોઉટ્સમાં વિટામિન-સીની મોટી માત્રા હોય છે જે સંક્રમણ અને બીમારીઓ સામે લડીને આપણી રોગપ્રતિકારકશક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

પાચનમાં મદદ કરે

મગની દાળના અંકુરમાં ઉત્સેચકોની માત્રા વધુ હોય છે. આ ઉત્સેચકો આપણી મેટાબોલિક પ્રક્રિયાઓને વધારવામાં અને શરીરમાં રાસાયણિક પ્રતિક્રિયાઓને સુધારવામાં મદદ કરે છે.તેને તમારા નિયમિત આહારમાં સામેલ કરવાથી ઘણી પાચન સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

વજન ઘટાડવામાં મદદ કરે

મગની દાળમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે,તે ભૂખ માટે જવાબદાર હોર્મોન ઘ્રેલિનના સ્ત્રાવને રોકવામાં પણ મદદ કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે

ફોલિક એસિડ,મેગ્નેશિયમ અને ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ જેવા પોષક તત્વો સમાન્ય લિપિડ પ્રોફાઇલ જાળવવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

એનિમિયા અટકાવે

ફણગાવેલી મગની દાળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે શરીર માટે જરૂરી ખનિજ છે,જેની ઉણપથી એનિમિયાનું જોખમ વધી શકે છે. આયર્નની ઉણપને દૂર કરવા માટે તમારા આહારમાં મગની દાળનો સમાવેશ કરો.

સલાહ લો

ઉપરોક્ત તમામ સ્વાસ્થ્ય લાભોને લીધે તમારે ચોક્કસપણે મગની દાળના અંકુરને તમારા નિયમિત આહારમાં એડ કરવું જોઈએ,પરંતુ અન્ય કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના કિસ્સામાં તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસપણે લેવી જોઈએ.

વાંચતા રહો

જો તમને આ સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એન્ટી ઑક્સીડેન્ટ ગુણોથી ભરપુર હોય છે બ્લેક રાઈસ, તેના ચમત્કારીક ફાયદા જાણીને થશો દંગ