જમ્યા પછી 2 ઈલાયચી ખાવાના ફાયદા


By Prince Solanki21, Dec 2023 12:03 PMgujaratijagran.com

ઈલાયચી

ઈલાયચી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ભારતીય ઘરોમા ઈલાયચીનુ સેવન મસાલા તરિકે કરવામાં આવે છે. જમ્યા પછી 2 ઈલાયચી ચાવવાથી શરીરને ઘણા ફાયદા મળે છે.

પોષકતત્વોથી ભરપૂર

ઈલાયચીમા પોટેશિયમ, આયરન, કૈલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા પોષકતત્વો રહેલા હોય છે.

પાચનતંત્ર સુધરે

જમ્યા પછી 2 ઈલાયચીનુ સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે. ઈલાયચીમા રહેલા પોષકતત્વો જમવાને પચાવવામા મદદ કરે છે.

મોં માથી આવતી દુર્ગંધ દૂર કરે

ઈલાયચીમા રહેલા એંટી બેક્ટેરિયલ ગુણ મોં માથી આવતી દુર્ગંધ દૂર કરવામા મદદ કરે છે. ઈલાયચી મોંના બેક્ટેરિયાને મારવાનુ કામ કરે છે.

You may also like

આ ખાટી વસ્તુનું સેવન કરવાથી બીપી અને કોલેસ્ટ્રોલ બંનેને નિયંત્રિત કરી શકાય છે

વજન ઘટાડવાની સર્જરી કરાવતા પહેલા આ બાબતોનો ચોક્કસથી વિચાર કરો

કબજિયાતથી બચાવ કરે

જમ્યા પછી 2 ઈલાયચી ખાવાથી પેટ સંબધિત બીમારીઓ જેમકે ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. ઈલાયચીમા રહેલા પોષકતત્વો જમવાને પચાવવામા મદદ કરે છે.

ઊંઘની સમસ્યા દૂર કરે

ઈલાયચી ઊંઘની સમસ્યા દૂર કરે છે. ઈલાયચીને સારી રીતે ચાવો અને ત્યારબાદ નવસેકુ ગરમ પાણી પીઓ. તેનાથી કેટલાક દિવસોમા ઊંઘની સમસ્યા દૂર થાય છે.

વજન ઓછુ થાય

રોજ ખાધા પછી 2 ઈલાયચીનુ સેવન કરવાથી વજન ઓછુ કરવામા મદદ મળે છે. તેમા રહેલા પોષકતત્વો તેમા રહેલી વધારાની ચરબીને દૂર કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ડિટોક્સ ડ્રિંક્સ : વજન ઘટાડવા માટે આ ડિટોક્સ વોટર ડ્રિંક્સનું સેવન કરો