દૂધ, કેળા અને ઘી આ ત્રણેય વસ્તુઓ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ત્રણેયમા ભરપૂર માત્રામા વિટામિન અને મિનરલ્સ હોય છે, જે બીમારીઓની સામે લડવામા મદદ કરે છે.
ડો. સુગરિતા મૂટરેજાના પ્રમાણે દૂધમા કેળા અને ઘી મિલાવીને ખાવાથી ખૂબ જ હેલ્ધી અનુભવ થાય છે. પણ આ ત્રણેયનુ એક સાથે સેવન કરવાથી કરવુ કેટલાક લોકો માટે નુકસાન કારક પણ સાબિત થઈ શકે છે.
દૂધ, કેળા અને ઘીનુ સેવન કરવાથી કબજિયાત, ગેસ તથા પેટ સાથે સંબધિત અનેક બીમારીઓથી બચી શકાય છે. આ ઉપરાંત તેને ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
દૂબળા પાતળા લોકોએ દૂધ, કેળા અને ઘીનુ સેવન કરવુ જોઈએ. આ ત્રણેયનુ સેવન કરવાથી વજન વધી શકે છે.
રોગપ્રતિકારકશક્તિમા વધારો કરવા માટે દૂધ, કેળા અને ઘીનુ એકસાથે સેવન કરો. તેમા રહેલા પોષકતત્વો રોગપ્રતિકારકશક્તિમા વધારો કરે છે.
શરીરમા થાક અને કમજોરીને દૂર કરવા માટે તમે દૂધ, કેળા અને ઘીનુ એકસાથે સેવન કરી શકો છો. તેમા રહેલા પોષકતત્વો શરીરને ઉર્જા આપવાનુ કામ કરે છે.
આ માટે તમે એક ગ્લાસ દૂધ લો. ત્યારબાદ તેમા કેળાને પીસીને નાખો. ત્યારબાદ અળધી ચમચી ઘી મિલાવીને નાસ્તા સાથે તેનુ સેવન કરો.