Happy Birthday Rajkot: જાણો રંગીલા રાજકોટનો કેટલામો સ્થાપના દિવસ છે?


By Vanraj Dabhi07, Jul 2025 09:54 AMgujaratijagran.com

રાજકોટ શહેર

રાજકોટ શહેરને રંગીલા સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ શહેરની સ્થાપના આજી નદીના કાંઠે ઠાકોરજી વિભાજીએ કરી હતી.

શહેરની સ્થાપના

ઈસ. 1610માં ઠાકોરજી વિભાજી અજોજી જાડેજાએ પોતાના વિશ્વાસુ મિત્રની યાદમાં રાજકોટની સ્થાપના કરી હતી.

નામકરણ

વિભાજીએ પોતાના વિશ્વાસુ મિત્ર રાજુ સંધિના નામ પરથી શહેરનું નામ રાજકોટ રાખ્યું હતું.

રંગીલું રાજકોટ

રંગીલું રાજકોટએ પવિત્ર સંતો અને મહંતોની ભુમિ છે, અહીં આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો છે.

મોગલ શાસનનું નામ

મુગલવંશનું શાસન આવતા રાજકોટનું નામ બદલીને માસૂમાબાદ કરી નાખ્યું હતું.

અંગ્રેજોના શાસનનું નામ

સમય વીતતા દેશમાં અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવાર મળ્યો અને ફરી રાજકોટ નામકરણ થયું.

જેમ્સ એન્ડ જ્વેલરી વિશ્વભરમાં લોકપ્રિય

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે રાજકોટ દેશમાં અગ્રેસર છે અને રાજકોટના સોના, ચાંદી અને ઇમિટેશન જ્વેલરી દેશ અને દુનિયામાં પણ લોકપ્રિય છે.

શૈક્ષણિક ક્ષેત્રે અવ્વલ

શૈક્ષણિક ક્ષેત્રે પણ રાજકોટ અગ્રેસર છે.વિદેશના અને NIR વિદ્યાર્થીઓ પણ હાલ રાજકોટમાં અભ્યાસ કરે છે.

રાજકોટના રાજાના દીવાન

ખૂબ ઓછા લોકોને ખબર છે કે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના રાજવી બાવાજીરાજના દિવાન હતા.

Makai Paratha: સ્વીટ કોર્ન ચીઝ પરોઠા બનાવવાની રીત