એવું કહેવાય છે કે, ચૈત્ર મહિનાની પૂનમમાં દિવસે હનુમાજીનો જન્મ થયો હતો. આથી આ દિવસને હનુમાન જયંતિ તરીકે મનાવવામાં આવે છે.
રામાનંદ સાગરની રામાયણ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ધાર્મિક સીરિયલ પૈકીની એક છે. જેમાં હનુમાનજીનું પાત્ર દારાસિંહે ભજવ્યું હતુ.
દારાસિંહના પુત્ર વિદુ દારાસિંહે 'જય વીર હનુમાન' (1995)માં હનુમાનજીની ભૂમિકા બખૂબી ભજવી હતી. આ સિવાય પણ એક્ટર અનેક સીરિયલ્સમાં હનુમાનજીની ભૂમિકામાં જોવા મળી ચૂક્યો છે.
વર્ષ 2015માં આવેલી સીરિયલ્સ 'સીયા કે રામ'માં દાનિશ અખ્તરે હનુમાનજીની ભૂમિકા ભજવીને સૌ કોઈનું દિલ જીત્યું હતુ. એક્ટરને હનુમાનજીના પાત્રમાં લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.
માત્ર 6 વર્ષની વયે એકાગ્રએ 'કહત હનુમાન જયશ્રી રામ'માં હનુમાનજીની ભૂમિકા ભજવી હતી. તેનો મૃદૂ અવાજ અને ક્યૂટનેસે સૌ કોઈનું દિલ જીત્યું હતુ.
ઈશાંતે ટીવી સીરિયલ્સ 'સંકટ મોચન મહાબલી હનુમાન'માં બાળ હનુમાનની ભૂમિકા ભજવીને સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ.
દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલી સીરિયલ 'જય હનુમાન'માં એક્ટર રાજ પ્રેમીએ હનુમાનજીની ભૂમિકા ભજવી હતી.
'સંકટ મોચન મહાબલી હનુમાન'માં ઈશાંત ભાનુશાલી બાદ એક્ટર નિર્ભય વાધવાએ હનુમાનજીની ભૂમિકા ભજવી હતી. જેમાં એક્ટરને લોકોનો ભરપુર પ્રેમ મળ્યો હતો.