અમદાવાદ ભારતનું એક પ્રાચીન શહેર છે અને પોતાના ઈતિહાસ, સંસ્કૃતિ અને વાસ્તુકલા માટે પ્રસિદ્ધ છે. દિવાળી દરમિયાન આ શહેરની અલગ જ મજા જોવા મળતી હોય છે.તમારે અમદાવાદ આ સ્થળોની અવશ્ય મુલાકાત કરવી જોઈએ.
અહીં મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન છે. જે શાંતિ અને ઈતિહાસનું પ્રતીક છે.
અહીં એક પાંચ માળનો સીડીદાર કૂવો આવેલો છે, જે પોતાની અદ્ભુત નક્કાશી માટે પ્રસિદ્ધ છે.
અહીં એક વિશાળ મનોરંજન ક્ષેત્ર છે જ્યાં પરિવાર અને દોસ્તો સમય વિતાવી શકે છે.અહીં તમે રમકડાની ટ્રેનની સવારી,ટેથર્ડ બલૂન રાઇડ્સ જેવી પ્રવૃતિઓનો આનંદ માણી શકો છો.
મહારાજા સોસાયટીના લો ગાર્ડનમાં આવેલું લો ગાર્ડન નાઈટ માર્કેટ, અમદાવાદનું એક લોકપ્રિય નાઈટ માર્કેટ છે. પરંપરાગત વસ્ત્રો, દિવાલ કલા, બંધેજ સાડી, એન્ટિક જ્વેલરી, ક્લાસિક ફૂટવેર અને ઘર સજાવટની વસ્તુઓ આ બજારમાં શ્રેષ્ઠ ખરીદીઓમાંની એક છે.
ઝૂલતા મિનાર ખરેખર વિશ્વના સૌથી આકર્ષક સ્થાપત્ય અજાયબીઓમાંનું એક છે અને તે હજુ પણ એક વણઉકેલાયેલ કોયડો છે, જે એ છે કે જો એક મિનારો હલાવે છે, તો બીજો થોડી સેકંડ પછી હલી જાય છે.
માણેકચોક જે દિવસમાં વેપારનું કેન્દ્ર છે, તે રાત્રીના સમયે સ્ટ્રીટ ફૂડનો ગઢ બની જાય છે.
અમદાવાદ શહેરની વચ્ચોવચ સ્થિત આ કિલ્લાનો ઈતિહાસ અને વાસ્તુકલા જોવા લાયક છે.
કાર પ્રેમીઓ માટે એક અનોખો સંગ્રહાલય, દુર્લભ કારોનો સંગ્રહ છે. જે શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલ છે.
ભવ્ય વાસ્તુકલા અને આધ્યાત્મિક શાંતિનું સ્થાન અક્ષરધામ મંદિર અમદાવાદની ખૂબ જ નજીક આવેલું છે. તેને જરૂર જવું જોઈએ.
પયૅટનની વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.