દિવાળી પર અમદાવાદમાં ફરવાલાયક શાનદાર સ્થળો


By Dimpal Goyal13, Oct 2025 12:39 PMgujaratijagran.com

અમદાવાદ

અમદાવાદ ભારતનું એક પ્રાચીન શહેર છે અને પોતાના ઈતિહાસ, સંસ્કૃતિ અને વાસ્તુકલા માટે પ્રસિદ્ધ છે. દિવાળી દરમિયાન આ શહેરની અલગ જ મજા જોવા મળતી હોય છે.તમારે અમદાવાદ આ સ્થળોની અવશ્ય મુલાકાત કરવી જોઈએ.

સાબરમતી આશ્રમ

અહીં મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન છે. જે શાંતિ અને ઈતિહાસનું પ્રતીક છે.

અડાલજની વાવ

અહીં એક પાંચ માળનો સીડીદાર કૂવો આવેલો છે, જે પોતાની અદ્ભુત નક્કાશી માટે પ્રસિદ્ધ છે.

કાંકરિયા તળાવ

અહીં એક વિશાળ મનોરંજન ક્ષેત્ર છે જ્યાં પરિવાર અને દોસ્તો સમય વિતાવી શકે છે.અહીં તમે રમકડાની ટ્રેનની સવારી,ટેથર્ડ બલૂન રાઇડ્સ જેવી પ્રવૃતિઓનો આનંદ માણી શકો છો.

લો ગાર્ડન

મહારાજા સોસાયટીના લો ગાર્ડનમાં આવેલું લો ગાર્ડન નાઈટ માર્કેટ, અમદાવાદનું એક લોકપ્રિય નાઈટ માર્કેટ છે. પરંપરાગત વસ્ત્રો, દિવાલ કલા, બંધેજ સાડી, એન્ટિક જ્વેલરી, ક્લાસિક ફૂટવેર અને ઘર સજાવટની વસ્તુઓ આ બજારમાં શ્રેષ્ઠ ખરીદીઓમાંની એક છે.

ઝૂલતા મિનારા

ઝૂલતા મિનાર ખરેખર વિશ્વના સૌથી આકર્ષક સ્થાપત્ય અજાયબીઓમાંનું એક છે અને તે હજુ પણ એક વણઉકેલાયેલ કોયડો છે, જે એ છે કે જો એક મિનારો હલાવે છે, તો બીજો થોડી સેકંડ પછી હલી જાય છે.

માણેકચોક

માણેકચોક જે દિવસમાં વેપારનું કેન્દ્ર છે, તે રાત્રીના સમયે સ્ટ્રીટ ફૂડનો ગઢ બની જાય છે.

ભદ્ર કિલ્લો

અમદાવાદ શહેરની વચ્ચોવચ સ્થિત આ કિલ્લાનો ઈતિહાસ અને વાસ્તુકલા જોવા લાયક છે.

ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ

કાર પ્રેમીઓ માટે એક અનોખો સંગ્રહાલય, દુર્લભ કારોનો સંગ્રહ છે. જે શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલ છે.

અક્ષરધામ મંદિર

ભવ્ય વાસ્તુકલા અને આધ્યાત્મિક શાંતિનું સ્થાન અક્ષરધામ મંદિર અમદાવાદની ખૂબ જ નજીક આવેલું છે. તેને જરૂર જવું જોઈએ.

વાંચતા રહો

પયૅટનની વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગુજરાતમાં આવેલા માતાજીના પ્રખ્યાત મંદિરો વિશે જાણો