સરકારે બાસમતી ચોખાના લઘુત્તમ નિકાસ મૂલ્ય ઘટાડી 950 ડોલર પ્રતિ ટન કર્યું


By Nileshkumar Zinzuwadiya27, Oct 2023 04:11 PMgujaratijagran.com

બાસમતી ચોખા

બાસમતી ચોખાની વધારે કિંમતને લીધે નિકાસને અસર થવાની ચિંતા વચ્ચે સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે લઘુત્તમ મૂલ્ય 1,200 ડોલર પ્રતિ ટનથી ઘટાડીને 950 ડોલર પ્રતી ટન કરી છે.

નોન-બાસમતી

પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની ગેરકાયદેસર નિકાસ પર નિયંત્રણ મુકવા 1,200 ડોલર પ્રતિ ટનથી ઓછા મૂલ્યવાળી બાસમતી ચોખાની નિકાસને મંજૂરી આપી ન હતી.

ભારતની બાસમતી ચોખાની કુલ નિકાસ

કિંમતની દ્રષ્ટિએ નાણાકીય વર્ષ 2022-23માં ભારતની બાસમતી ચોખાની કુલ નિકાસ 4.8 અબજ ડોલર રહી, જ્યારે પ્રમાણની દ્રષ્ટિએ તે 45.6 લાખ ટન હતું.

ચોખાનું ઉત્પાદન

અત્રે ઉલ્લેખનીય છે કે ચોખાનું ઉત્પાદન વર્ષ 2022-23માં વિક્રમજનક 13 કરોડ 57.5 લાખ ટન થવાનો અંદાજ છે, જે એક વર્ષ અગાઉ આ ઉત્પાદન 12 કરોડ 94.7 લાખ ટન હતું.

EPFOની રોકાણ મૂડી નાણાકીય વર્ષ 23માં 16.7 ટકા વધી