જૂનાગઢમાં આ વર્ષે લીલી પરિક્રમા 12 નવેમ્બરથી શરૂ થશે અને પાંચ દિવસ સુધી ચાલશે.


By Kajal Chauhan09, Nov 2024 05:10 PMgujaratijagran.com

કેટલા કિલોમીટરની છે પરિક્રમા

ભક્તો ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર કાપી પરિક્રમા પૂર્ણ કરે છે.

ત્રણ પડાવની પરિક્રમા

36 કિમીની પરિક્રમામાં પ્રથમ પડાવ 12 કિમીએ આવે છે. બીજો પડાવ 8 કિમીએ, ત્રીજો પડાવ 8 કિમીએ અને ચોથો પડાવ 8 કિમીએ ભવનાથ તળેટીમાં આવે છે.

કોણે કરી હતી પ્રથમ પરિક્રમા

ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનું માનવામાં આવે છે.

તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ

ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે.

સાત જન્મનું પુણ્ય

માન્યતા પ્રમાણે જે કોઈ આ પરિક્રમા કરે છે તે સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે.

જો સ્ટોરી ગમી હોય તો શેર કરો અને ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Gujarat Weather: જુલાઇમાં જમાવટ બાદ ઓગસ્ટમાં અનરાધાર, જાણો ગુજરાતમાં ફરી ક્યાં વરસાદી માહોલ જામશે