હિંદુ ધર્મમા ભગવાની પૂજા કરવી અને તેમને ભોગ ચડાવાની પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. ભોગ ચડાવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. પરંતુ ભગવાનને ચડાવેલો ભોગ લાંબા સમય સુધી ચડાવી ન રાખવો જોઈએ.
ભગવાનને ચડાવેલો ભોગ લાંબા સમય સુધી ન રાખવો, આમ કરવું અશુભ માનવામાં આવે છે
મંદિરમા લાંબા સમય સુધી ભોગ ચડાવી રાખવાથી વિશ્વકસેન, ચંદેશ્વર, ચંન્ડાશું અને ચંડાલી નામની નકારાત્મક શક્તિઓ પ્રવેશે છે
મંદિરમાં ચડાવેલો ભોગ 5 મિનીટ સુધીજ રાખવો જોઈએ, ત્યારપછી તેને વધુમાં વધુ લોકોને વહેંચી દેવો જોઈએ
સોના, ચાંદી, લાકડુ અથવા માટીના બનેલા વાસણમાં જ નૈવેદ્ય ચડાવો જોઈએ. એલ્યુમિનીયમ, લોખંડ, સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણમાં ન ચઢાવો.
ભગવાનને ભોગ લગાવતી વખતે ‘ત્વદીયં વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પેયે, ગૃહાણ સમ્મુખો ભૂત્વા પ્રસીદ પરમેશ્વર’ મંત્રનો જાપ કરવો જોઈએ.