આ 5 શાકભાજીઓને કારણે વધે છે કબજિયાત


By Prince Solanki03, Jan 2024 12:40 PMgujaratijagran.com

કબજિયાત

ઠંડીમા બહારનુ ખાવાથી શરીરમા ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે, પરંતુ ક્યારેક ઘરમા રાખેલી શાકભાજીના કારણે પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ચલો જાણીએ.

ડુંગળી

વધારે માત્રામા ડુંગળીનુ સેવન કરવાથી શરીરમા કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ડુંગળી શરીમા હાઈડ્રોક્લોરિક એસિડના સંતુલનને બગાડી નાખે છે, જેના કારણે પેટમા કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

કટાર

જો તમને ગેસ અને કબજિયાતની સમસ્યા છે તો કટારનુ સેવન કરવાનુ ટાળો. કટારમા ફાઈબરની માત્રા ખૂબ જ હોય છે, જેના કારણે કટારને પચાવુ મુશ્કેલ છે.

સૂરણ

વધારે માત્રામા સૂરણનુ સેવન કબજિયાતની સમસ્યાને વધારે છે. રાતે સૂતા પહેલા સૂરણનુ સેવન કરવાથી ડાયરિયાની સમસ્યા થઈ શકે છે.

રીંગણ

રીંગણમા સોલેનીન નામનુ તત્વ હોય છે. જે ગેસ, કબજિયાત તથા પેટના દુખાવાની સમસ્યામા વધારો કરે છે. એવામા જો તમે આ સમસ્યાઓથી બચવા માંગો છો તો વધારે માત્રામા રીંગણનુ સેવન કરવાથી બચો.

ટામેટા

કાચા ટામેટા ખાવાથી શરીરમા ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ટામેટામા વિટામિન સી હોય છે જે શરીરના પીએચના સંતુલનને બગાડે છે, જે કબજિયાતની સમસ્યા વધારે છે.

શક્કરીયા

રાતે સૂતા પહેલા શક્કરીયા ખાવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. શક્કરીયામા ફાઈબરની માત્રા વધુ હોય છે, જે ગેસની સમસ્યામા વધારો કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

મોંઢામાં ચાંદા પડયા છે? ઘરેલૂ નુસ્ખા અપનાવવાથી મળશે રાહત