લોહીમાં રહેલી ગંદકીઓ દૂર કરશે વિટામીમન-C યુક્ત આ વસ્તુઓ


By Smith Taral04, Jan 2024 12:03 PMgujaratijagran.com

યુરીક એસિડ એક ખરાબ પદાર્થ છે, જે ત્યારે બને છે જ્યારે શરીર પ્યુરીનને તોડે છે. જો શરીરમાં આનું લેવલ વધી જાય તો પથરીની સમસ્યા થઈ શકે છે. આવામા લોહીને સાફ રાખવું ખૂબજ જરુરી છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું, કે વિટામીમન-C યુક્ત આ વસ્તુઓ લોહીમાં રહેલી ગંદકીઓ દૂર કરવા કેટલું ઉપયોગી નીવડે છે.

કીવી

કીવી વિટામીમન-Cનો એક સારામાં સારો સ્ત્રોત છે. એવું માનવામાં આવે છે, આ ખાવાથી ડેન્ગ્યુમાં ઘટી જતા પ્લેટલેટ્સને વધારવામાં મદદ મળે છે. આનું સેવન કરવાથી લોહીમાં રહેલી ગંદકી સાફ થઈ જાય છે.

જામફળ

જામફળ વિટામીમન-Cથી ભરપુર હોય છે. આનું સેવન કરવાથી લોહી સાફ રાખવામાં મદદ મળે છે. આમાં સારી માત્રામાં ફાઇબર પણ હોય છે.

પપૈયું

પપૈયું વિટામીમન-C અને એઝાઈમ્સથી ભરપુર હોય છે, જે પાચન કરવામાં સહાયરુપ બને છે. આનું સેવન કરવાથી લોહીમાં યુરિક એસિડ ઓછું કરવામા મદદ મળે છે.

You may also like

રોજ ખજૂરનુ કરો સેવન, મળશે ચમત્કારિક ફાયદા

ઠંડીમા ખાલી પેટ આંબળા ખાવાથી મળશે અનેક ફાયદા

કેપ્સીકમ

લાલ, પીળા અને લીલા શીમલા મરચા વિટામીન-Cના સારા સ્ત્રોત છે. આને તમે સલાડમાં ખાઈ શકો છો.

બ્રોકોલી

આવીજ રીતે બ્રોકોલી પણ એક ક્રુસીફેરસ શાકભાજી છે, જે માત્ર વિટામીમન-C જ નથી ઘરાવતું પણ બીજી ઘણી રીતે ફાયદો કરાવે છે.

ટામેટા

વિટામીમન-C યુક્ત આ શાકભાજી, ઘણી વાનગીઓ સાથે ઉપયોગમાં લઈ શકાય છે. આના સેવનથી લોહીમાં યુરિક એસિડ ઓછું કરવામા મદદ મળે છે. આ ઉપરાંત વજન નિયંત્રણ રાખવા, હાઈડ્રેટેડ રહેવામાં મદદ કરે છે.

લોહીમાં રહેલી ગંદકીઓ દૂર કરવા તમારે પણ આ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

ઠંડીમા આદુનુ પાણી પીવાથી મળે છે આ ફાયદા