ભૂલથી પણ ક્યારેય દહીં સાથે આ વસ્તુઓ ના ખાતા, થશે ભારે નુકસાન


By Jivan Kapuriya07, Aug 2023 04:47 PMgujaratijagran.com

દહીં

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંમાં ઠંડક હોય છે, જે પેટ સંબંધિત સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે.

પોષક તત્વો

દહીંમાં પ્રોટીન,કેલ્શિયમ,રિબોફ્લેવિન અને વિટામિન્સ જેવા ફાયદાકારક પોષક તત્વો હોય છે.

આની સાથે ન ખાવ

દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ કેટલીક વસ્તુઓ સાથે તેનું સેવન કરવું નુકસાનકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ સાથે દહીં ન ખાવું જોઈએ.

દૂધ

દહીં અને દૂધ એકસાથે ન ખાવું જોઈએ,કારણ કે દૂધ ભારે હોય છે અને દહીં હલકું હોય છે. તેનું એકસાથે સેવન કરવાથી પેટની સમસ્યા વધી શકે છે.

તેલયુક્ત ખોરાક

તેલયુક્ત ખોરાક સાથે દહીં ખાવાનું ટાળવું જોઈએ. દહીં અને તેલયુક્ત ખોરાક એકસાથે ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.

કેળા

કેળાને શરીર માટે અમૃત માનવામાં આવે છે પરંતુ કેળા અને દહીંનું એકસાથે સેવન કરવાનું ટાળવું જોઈએ.

ખાટા ફળો

જો તમે ખાટા ફળો સાથે દહીંનું સેવન કરો છો,તો તમારે કબજિયાત જેવી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ખજૂર

જો તમે ખજૂર અને દહીં એકસાથે ખાશો તો પેટની સમસ્યા થઈ શકે છે. ખજૂર અને દહીં વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર હોવું જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

આ પાંચ ચા સારી ઊંઘ પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ છે