બીટમાં બીટાસાયનિન હોય છે, જે એક પાવરફૂલ એન્ટીઑક્સીડેન્ટ છે. જે લોહીને સાફ કરવામાં મદદ કરે છે. બીટના ટૂકડા કરીને પાણીમાં ઉકાળી લો અને પછી ગાળ્યા બાદ પી લો.
આદુને પીસી નાંખો. તેમાં લીંબુની બે-ત્રણ બુંદ મિક્સ રીને તેમાં ચપટી મીઠુ અને મરી મિક્સ કરો. હવે તેને સવારે ખાલી પેટ સેવન કરો. જેનાથી લોહી સાફ થાય છે.
તુલસીના પત્તાનું સેવન અનેકરીતે ગુણકારી હોય છે. ખાલી પેટ તુલસીના પત્તા ખાવાથી લોહી સાફ થાય છે. તુલસીના પત્તા ઓક્સિજનથી ભરપુર હોય છે. જે બ્લડમાં ઑક્સિજનનું પ્રમાણ વધારે છે.
ખાલી પેટ લસણનું સેવન કરવું ફાયદેમંદ મનાય છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને લોહી પણ શુદ્ધ થાય છે. દરરોજ લસણની એક કળી ખાવાથી ફંગલ ઈન્ફેક્શન થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.
વિટામિન-સીથી ભરપુર આમળા લિવર ફંક્શનને દુરસ્ત રાખે છે અને ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બનાવે છે. જેનાથી શરીર અનેક પ્રકારના રોગથી બચી જાય છે. સૌથી જરૂરી છે કે, આમળાને ખાવાથી પણ લોહીમાં રહેલ અશુદ્ધી દૂર થઈ જાય છે.
દરરોજ સવારે ખાલી પેટ લીંબુનું પાણી પીવાથી શરીરમાંથી ગંદકી સાફ થઈ જાય છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધુ લીંબુ નીચોવીને ખાલી પેટ પીવો. લીંબુનો રસ લોહી સાફ કરવા સાથે જ ડાઈઝેશન પણ સુધારે છે.