ડેન્ગ્યુ તાવ આવ્યા પછી શરીરમાં ઘણી નબળાઈ આવે છે, દરેક વ્યક્તિ માટે એ જાણવું જરૂરી છે કે આ બીમારીમાંથી સાજા થવા માટે તેમને પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં શું મદદ કરી શકે છે.
ડેન્ગ્યુંમાં સંતુલિત અને પૌષ્ટિક આહારનું પાલન કરવું અને પછી આરોગ્ય અને પુનઃપ્રાપ્તિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
ઝડપથી સાજા થવા માટે તમારા આહારમાં દરરોજ પપૈયાના પાન,મિશ્રિત શાક,દાડમ,નાળિયેર પાણી,હળદર,મેથી,નારંગી અને અન્ય સાઇટ્રસ ફળોનો સમાવેશ કરો.
હળદરમાં કર્ક્યુમિન જોવા મળે છે જેમાં બળતરા વિરોધી ગુણ હોય છે. હળદર મેટાબોલિઝમ પણ વધારે છે.
એન્ટીઓક્સીડન્ટો અને વિટામિન-સીથી ભરપૂર સાઇટ્રસ ફળો ખાવાથી ડેન્ગ્યુના દર્દીઓ માટે ફાયદાકારક છે તે તમને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે,તેથી દિવસમાં બે વખત નારંગી,સ્ટ્રોબેરી,લીંબુ વગેરે ખાવ,તેનાથી એનર્જી મળશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
આ સમય દરમિયાન તમારી જાતને હંમેશા હાઇડ્રેટેડ રાખવી મહત્વપૂર્ણ છે. નારિયેળના પાણીમાં તમારા શરીરના ઇલેક્ટ્રોલાઇટ સ્તરને સ્થિર રાખવા માટે ક્ષાર અને ખનિજો હોય છે.
ડેન્ગ્યું કે અન્ય કોઈપણ તાવમાં શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો,જેનાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીરમાં ભેજ રહે છે.
લીલા શાકભાજીમાં વિટામિન K હોય છે જે બ્લડ પ્લેટલેટ કાઉન્ટ વધાવામાં મદદ કરે છે. આ સાથે લીલા શાકભાજી ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે બીમાર શરીરને શક્તિ આપવા અને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે.
ડેન્ગ્યુ તાવમાં લાભ મેળવવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે ઉપરોક્ત ઘરગથ્થું ઉપાયો માત્ર કેટલાક સૂચનો અને ટિપ્સ છે,કંઈપણ કરતા પહેલા તમારા ડોક્ટરવી સલાહ અવશ્ય લેવી.