અડધી રાત્રે ખાવું કેટલું યોગ્ય છે?


By Smith Taral13, Jun 2024 01:08 PMgujaratijagran.com

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલના લીધે લોકોમાં રોગ થવાનું પ્રમાણ વધ્યું છે. તેવામાં ખાસ કરીને યુવાઓમા રાત્રે મિડનાઈટ સ્નેક કરવાનું ચલણ વઘ્યું છે. ચાલો જાણીએ રાત્રે ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે

રાત્રે ભોજન કરવું કેટલું યોગ્ય ?

જો તમને પણ અડધી રાત્રે ઉઠીને ખાવાની ટેવ હોય તો બને તેટલું જલદી તેને બદલી નાખો કારણ કે આ ઘણી બીમારીએ નોતરી લાવે છે

હાર્ટબર્ન

જો તમે અડધી રાત્રે વધુ કેલરી વાળા અને કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક ખાવો છો તો તમને હાર્ટબર્નની તકલીફ થઈ શકે છે.

સવારે તણાવનો અનુભવ

અડઘી રાત્રે ભોજન કરવાથી સારી ઊંઘ લઈ શકાતી નથી આવામાં તમને બીજા દિવસે સવારે તણાવ અનુભવાય છે

સુગર વધે છે

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે સમયસર ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. જો તમે અડધી રાતે જાગીને ખોરાક લો છો, તો તેનાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે.

સુગર વધે છે

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે સમયસર ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. જો તમે અડધી રાતે જાગીને ખોરાક લો છો, તો તેનાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે.

વજન વધારવાની સમસ્યા

અડધી રાત્રે ખાવાથી હોર્મોનલ અસંતુલન થાય છે જેની અસર તમારા મેટાબોલિઝમ પર પડે છે જે પાછળથી વજન વધવાનું કારણ બને છે

એસિડિટીની સમસ્યા

રાત્રે ખાવાથી એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે સમયસર ભોજન લીધા પછી સૂવું ફાયદાકારક રહે છે.

રાત્રે આ 4 દાળ ખાવાનું ટાળવું જોઈએ, નુકસાન પહોંચાડે શકે છે