રોજ 40 ગ્રામ પનીર ખાવાથી દૂર થાય છે ઘણી સમસ્યા


By Hariom Sharma06, Aug 2023 10:00 AMgujaratijagran.com

પનીર પ્રોટીનનો એક મહત્ત્વનો સ્ત્રોત છે. આમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને અન્ય પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવો જાણીએ નિયમિત રીતે રોજ 40 ગ્રામ પનીર ખાવાથી દૂર થતી સમસ્યાઓ વિશે.

ઈમ્યૂનિટી પાવર

પનીરમાં ઘણા એવા પોષકતત્ત્વો છે જે શરીરમાં ઈમ્યૂન પાવરને વધારવામાં મદદ કરે છે. 40 ગ્રામ પનીરમાં રહેલું પ્રોટીન, કેલ્શિયમ જે ઈમ્યૂન પાવરને બુસ્ટ કરવામાં મદદ કરે છે.

ગ્લોઇંગ સ્કિન

ચહેરા પર ગ્લો માટે લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખા અપનાવે છે, પરંતુ સારુ ડાયેટ એક સારો વિકલ્પ હોઇ શકે છે. જો તમે રોજ 40 ગ્રામ પનીરનું સેવન કરશો તો ચહેરા પર ગ્લો લાવી શકાય છે.

અનિદ્રા માટે

40 ગ્રામ પનીર રાત્રે ભોજનની સાથે ખાવાથી અનિદ્રાથી રાહત મળી શકે છે, જેનાથી સારી ઊંઘ આવી શકે છે. કાચુ પનીર ખાવાથી શરીર હેપી હોર્મોન રિલીઝ કરે છે, જેનાથી સારી ઊંઘ આવે છે.

હાડકા માટે ફાયદાકારક

હાડકા મજબૂત રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન ડીની જરૂરત હોય છે. રોજ 40 ગ્રામ પનીર ખાવાથી શરીર બંને પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. હાડકના સ્વાસ્થ્ય સુધારવા માટે આ ખૂબ જ જરૂરી છે.

દાંતમાં ઇન્ફેક્શન થવા પર અપનાવો આ 5 સરળ રીત