ધૂળથી એલર્જીના લક્ષણો


By Hariom Sharma01, Sep 2023 03:39 PMgujaratijagran.com

ધૂળથી એલર્જી થવા પર તમને ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ ધૂળથી એલર્જી થવા પર શરીરમાં કયા લક્ષણ દેખાય છે.

વારંવાર છીંક આવવી

ધૂળની કણી ક્યારેક નાકમાં જતી રહે છે, જેના કારણે છીંક આવવા લાગે છે. વારંવાર છીંક આવવી ધૂળથી એલર્જીના સંકેત હોઇ શકે છે.

નાકમાંથી પાણી નીકળવું

ધૂળ-માટીના કારણે નાકમાં ગંદકીનો ભરાવો થાય છે, જે નાકમાંથી સતત પાણી નીકળવાનું કારણ બની શકે છે. નાકમાંથી પાણી નીકળવું પણ ધૂળથી એલર્જીના લક્ષણો હોઇ શકે છે.

થાક અને કમજોરી

ધૂળ અને પ્રદૂષણ થાક અને કમોજરીનું સૌથી મોટું કારણ છે. ધૂળથી એલર્જી થવાના કારણે તમને માથામાં દુખાવો અને કમોજરીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

આંખોમાં સોજા

આંખોમાં સોજાની સમસ્યા અથવા બળતરા વગેરે પણ ધૂળથી એલર્જીનું એક કારણ છે. ધૂળથી એલર્જી થવા પર આંખો લાલ થવા લાગે છે.

ગળામાં ખંજવાળની સમસ્યા

ધૂળ-માટીના કારણે ખાંસી આવવી એક સામાન્ય વાત છે, પંરતુ ધૂળથી એલર્જી થવા પર તમને નાક અને ગળામાં ખંજવાળની સમસ્યા થવા લાગે છે.

અસ્થામાની સમસ્યા

ધૂળથી એલર્જી થવા પર શરીરમાં અસ્થમાના લક્ષણો જોવા મળે છે. સાથ જ આ કારણે તમારી સૂંઘવાની ક્ષમતા પોણ ઓછી થવા લાગે છે.

કબજિયાતની તકલીફ માટે આ ઘરેલું ઉપચાર અજમાવો