પાલકની તાસીર ઠંડી છે કે ગરમ?


By Dimpal Goyal03, Nov 2025 12:17 PMgujaratijagran.com

પાલક

પાલક એક સામાન્ય પરંતુ અત્યંત પૌષ્ટિક શાકભાજી છે, જે આપણા રોજિંદા ખોરાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શિયાળામાં પાલકના લીલા, તાજા પાન બજારમાં સરળતાથી મળે છે, પરંતુ તેનો સ્વભાવ ઠંડો છે કે ગરમ તે વિશે ઘણા લોકોમાં પ્રશ્ન થાય છે.

પાલકની તાસીર

આયુર્વેદ અનુસાર પાલકનો સ્વભાવ “ઠંડો” છે. તે શરીરમાં ગરમી ઘટાડે છે અને શાંત અસર આપે છે. પાલકમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે શરીરમાં ઠંડક લાવે છે. ઉનાળામાં પાલક ખાવાથી તરસ અને ગરમીમાં રાહત મળે છે, તેથી તે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ફાયદાકારક ગણાય છે.

શિયાળામાં પાલક ખાવા માટે ઉપાય

શિયાળામાં હવામાન પોતે ઠંડુ હોય છે, તેથી પાલક જેવી ઠંડી સ્વભાવની વસ્તુ ખાવાથી શરીરમાં કફ અથવા ઠંડક વધે તે શક્ય છે. એથી, પાલક ખાવા સમયે તેમાં આદુ, લસણ, કાળી મરી, હીંગ અથવા ઘી ઉમેરવાથી સંતુલન રહે છે.

પાલકમાં રહેલા પોષક તત્વો

પાલકને “પાવર હાઉસ ઑફ ન્યુટ્રીશન” કહેવાય છે, કારણ કે તેમાં ઘણા અગત્યના પોષક તત્વો હોય છે. આયર્ન ,ફોલેટ અને વિટામિન C, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો રહેલા છે.

પાલકના ઉપયોગ

પાલકને તમે અનેક રીતે ઉપયોગમાં લઈ શકો છો, પાલક પનીર અથવા પાલક આલુ શાક, પાલકનું સૂપ, પાલક પરાઠા અથવા થેપલા, પાલકનો રસ અથવા સ્મૂધી.

સ્વાસ્થ્ય લાભ

કાચા પાલકના પાંચ પાન રોજ સવારે ચાવવાથી પણ લાભ થાય છે. આ રીતે પાલકને રોજિંદા ખોરાકમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યમાં અનેક રીતે સુધારો થાય છે.

વાંચતા રહો

વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

બોમ્બે સ્ટાઇલમાં ટેસ્ટી વડાપાવ ઘરે બનાવો, નોંધી લો સરળ રેસીપી