મેથી અનેક ઔષધીય ગુણોથી ભરપુર મનાય છે. જે મહિલાઓ સાથે સંકળાયેલી અનેક બીમારીઓ માટે રામબાણ ઈલાજનું કામ કરે છે.
એવું કહેવાય છે કે, મેથીનું પાણી પીવાથી મહિલાઓમાં પીરિયડ્સની પીડા ઓછી થાય છે. આ સાથે જ મેથીનું પાણી પુરુષો માટે પણ અનેક રીતે ફાયદેમંદ છે.
એવામાં મેથીનું પાણી પીવાના અદ્દભૂત ફાયદા વિશે જાણીએ. જેથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો.
મેથીમાં વિટામિન કે અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે સ્કિનને ચમકદાર બનાવવામાં મદદરૂપ થાય છે. જો સવારના પહોરમાં મેથીનું પાણી પીવામાં આવે, તો સ્કિન સબંધિત અનેક સમસ્યાઓથી બચી શકાય છે.
મેથીના પાણીમાં એન્ટી ઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે, જે પીરિયડ્સના કારણે થતા દર્દમાં રાહત અપાવે છે.
જો તમે પણ મેન્સ્ટ્રૂઅલ સાઈકલ સબંધિત બીમારીથી પીડિત હોવ, તો મેથીનું પાણી તમારા માટે રામબાણથી કમ નથી.
આ માટે પીરિયડ્સ આવવાના 2-3 દિવસ પહેલાથી સવારના પહોરમાં મેથીના દાણાનું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ.
મેથી ધાવણને વધારવાનું પણ કામ કરે છે. જે માતાઓને ધાવણ ના આવતું હોય, તેમણે મેથીના દાણાનું પાણી પીવાથી ઝડપથી ફાયદો થાય છે.