શું વધુ પડતી ચા પીવાથી શરીરમાં આયર્નની ઉણપ થાય છે?


By Vanraj Dabhi02, Aug 2025 09:41 AMgujaratijagran.com

ચા પીવાથી આયર્નની ઉણપ

આપણે દરરોજ ચા પીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી ચા પીવાથી શરીરમાં આયર્ન ઓછું થઈ શકે છે? જાણો કેવી રીતે?

ચામાં શું હોય છે?

ચામાં ટેનીન અને પોલીફેનોલ નામના તત્વો હોય છે. આ તત્વો શરીરમાં આયર્નને સંપૂર્ણપણે શોષી લેવા દેતા નથી.

બે પ્રકારના આયર્ન

શરીરમાં બે પ્રકારના આયર્ન હોય છે, હીમ અને નોન-હીમ. ચા ખાસ કરીને શાકભાજી, કઠોળ અને અનાજમાંથી મળતા નોન-હીમ આયર્નને અવરોધે છે.

NIH સંશોધન શું કહે છે?

NIH (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ) ના એક અભ્યાસ મુજબ, ચામાં હાજર પદાર્થો નોન-હીમ આયર્નના શોષણને 60% સુધી ઘટાડી શકે છે, ખાસ કરીને જ્યારે ચા ભોજન સાથે પીવામાં આવે છે.

ભોજન સાથે ચા ન પીવી

જો તમે ભોજન સાથે અથવા તરત જ ચા પીતા હો, તો તમારું શરીર ખોરાકમાંથી મેળવેલા આયર્નને યોગ્ય રીતે શોષી શકતું નથી.

દરરોજ કેટલી ચા પીવી યોગ્ય છે?

દિવસમાં એક કે બે કપ ચા પીવાથી ખાસ અસર થતી નથી, પરંતુ જો તમે દિવસમાં 4-5 કપ કે તેથી વધુ ચા પીઓ છો, તો તેનાથી આયર્નની ઉણપ થઈ શકે છે.

ચા ક્યારે પીવી જોઈએ?

જો તમારે ચા પીવી હોય, તો જમ્યાના એક થી બે કલાક પછી પીવી જોઈએ છે. આનાથી આયર્ન શોષણમાં અવરોધ ઓછો થશે.

આયર્નની ઉણપથી કેવી રીતે બચવું?

પાલક, બીટ, ગોળ, દાડમ અને કઠોળ જેવા આયર્નયુક્ત ખોરાક ખાઓ. લીંબુ કે નારંગી જેવા વિટામિન સી ધરાવતા ફળો પણ ખાઓ, જે આયર્નને શોષવામાં મદદ કરે છે.

શું આપણે કેળા અને દહીં એકસાથે ખાઈ શકીએ?