શું હેર જેલ લગાવવાથી વાળ ખરે છે? જાણો હકીકત


By Vanraj Dabhi30, Jun 2025 01:07 PMgujaratijagran.com

હેર જેલ

ઘણા લોકો સ્ટાઇલિશ લુક માટે વાળમાં હેર જેલ લગાવે છે, જેનાથી તેમના વાળ આકર્ષક લાગે છે. પરંતુ શું હેર જેલ લગાવવું વાળ માટે સલામત છે? ચાલો જાણીએ અભ્યાસ શું કહે છે.

હેર જેલ શું છે?

હેર જેલ એક સ્ટાઇલિંગ પ્રોડક્ટ છે, જે વાળને ચોક્કસ આકારમાં રાખે છે. તે જેલમાં હાજર પોલિમરથી બનેલું છે જે વાળને કડક અને ચમકદાર બનાવે છે.

શું વાળ ખરે છે?

સીધી રીતે નહીં. હજુ સુધી કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી કે, હેર જેલ લગાવવાથી વાળ ખરવાનું કારણ બને છે.

નુકશાન ક્યારે થઈ શકે?

જો હેર જેલ વધુ પડતુ અથવા ખૂબ લાંબા સમય સુધી લગાવવી રાખવા અને માથાની ત્વચા સાફ ન કરવામાં આવે તો, માથાની ચામડી પર જામેલી ગંદકી વાળના મૂળને નબળા બનાવી શકે છે.

દુરુપયોગથી ભય

જો તમે જેલ લગાવ્યા પછી રોજ વાળ ન ધોવા કે જેલને આખી રાત વાળમાં રહેવાથી ત્વચામાં બળતરા અને ખોડો થઈ શકે છે. આ સમસ્યાઓ વાળ ખરવાનું કારણ બની શકે છે.

સારી ગુણવત્તા મહત્વપૂર્ણ છે

હલકી ગુણવત્તાવાળા હેર જેલમાં સસ્તા રસાયણો હોઈ શકે છે, જે માથાને નુકસાન પહોંચાડી શકે છે. સારા બ્રાન્ડ અને આલ્કોહોલ-મુક્ત જેલનો ઉપયોગ કરવો સલામત છે.

સાચી રીત અપનાવો

જેલની ​સાથે વાળની ​​સંભાળ પણ મહત્વપૂર્ણ છે. તેલ લગાવવું, યોગ્ય શેમ્પૂનો ઉપયોગ કરવો અને સંતુલિત આહાર વાળને મજબૂત રાખે છે.

રાત્રે ઊંઘતી વખતે શરીરમાં ઝટકા કેમ આવે છે? જાણો તેની પાછળના કારણો