જો દહીં સાથે આ વસ્તુઓ ખાવ છો તો સ્વાસ્થ્ય બગડી શકે છે


By Smith Taral12, May 2024 04:25 PMgujaratijagran.com

દહીં ખાવુ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે, આનું સેવન કરવુ પેટ માટે પણ ફાયદાકારક છે. ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે લોકો દહીં ખાવાનું પસંદ કરતા હોય છે.

દહીં અને ડુંગળી

ડુંગળી અને દહીંનું કોમ્બીનેશન પણ સ્વાસ્થ્ય માટે સારુ ન ગણી શકાય, ઘણા લોકો રાયતામાં સમારેલી ડુંગળી પણ ઉમેરતા હોય છે.

દૂધ પછી દહીં

દૂધ ઉપર દહીંનુ સેવન ક્યારેય ન કરવું જોઈએ. માત્ર દહીં જ નહીં, કોઈપણ આથો બનાવેલી વસ્તુનું દૂધ સાથે સેવન કરવું ફાયદાકારક નથી.

દહીં સાથે ઘી

દહીંની સાથે ઘીનું સેવન પણ મેટાબોલીઝમને ધીમો કરી દે છે. આના સેવનથી તમને આળસ અને ઊંઘ આવે છે

ખીલ અને બળતરા

ડુંગળીની પ્રકૃતિમાં ગરમ હોય છે જ્યારે દહીની પ્રકૃતિ ઠંડી હોય છે. આ બંને વિરુધ્ધ ખોરાક છે, આને સાથે ખાવાથી ચહેરા પર ખીલ, ત્વચામાં બળતરા અને એલર્જીની સમસ્યા થઈ શકે છે.

ખીલ અને બળતરા

ડુંગળીની પ્રકૃતિમાં ગરમ હોય છે જ્યારે દહીની પ્રકૃતિ ઠંડી હોય છે. આ બંને વિરુધ્ધ ખોરાક છે, આને સાથે ખાવાથી ચહેરા પર ખીલ, ત્વચામાં બળતરા અને એલર્જીની સમસ્યા થઈ શકે છે.

5 મિનિટમાં આ રીતે દાંતના દુઃખાવામાંથી છુટકારો મેળવો