By Hariom Sharma2023-05-27, 10:00 ISTgujaratijagran.com
નારિયળની ચટણી સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. આને ખાવાથી પેટ માટે ઘણા ફાયદા મળે છે સાથે સાથે ઇમ્યૂનિટી વધારે છે.
હાડકા માટે ફાયદાકારક
નારિયળ ચટણી ખાવી હાડકા માટે ફાયદાકારક હોય છે. આમાં મેગ્નિજ અને સેલેનિયમ હોય છે, જે હાડકાને મજબૂત બનાવવાની સાથે સાથે તેને હેલ્ધી રાખે છે.
પેટ માટે ફાયદાકારક
નારિયળની ચટણી ખાવી પેટ માટે ખૂબ ફાયદાકારક હોય છે. આને ખાવાથી પેટને લગતી સમસ્યા જેમ કે ગેસ અને અપચો ઘટે છે સાથએ પાચન તંત્ર હેલ્ધી રહે છે.
વજન ઘટાડે
વજન ઘટાડવા માટે તમે નારિયળની ચટણીનું સેવન કરી શકો છો. આમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે, જેનાથી વજન ઘટવામાં સરળતા રહે છે. આને બનાવતા સમયે તેમાં મીઠા લીમડાનો ઉપયોગ કરો.
હાઇ બ્લડ પ્રેશર ઘટાડે
નારિયળની ચટણી ખાવાથી હાઇ બ્લડ પ્રેશરથી રાહત મળે છે. જો તમે હાઇ બીપીની સમસ્યાથી પરેશાન છો તો નારિયળની ચટણીનું સેવન કરી શકો છો. આમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરમાં ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે.
લોહીની ઉણપ દૂર કરે છે
જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમે નારિયળની ચટણી ખાઇ શકો છો. આમાં આયર્ન સારી માત્રામાં હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારવામાં મદદ કરે છે.