આવતીકાલથી બેંકોમાં બે હજારની નોટ જમા કરાવવનાની શરૂઆત થશે


By Nileshkumar Zinzuwadiya22, May 2023 02:18 PMgujaratijagran.com

શક્તિકાંતનું નિવેદન

RBIના વડા શક્તિકાંત દાસે સોમવારે કહ્યું કે રૂપિયા 2,000ની નોટ બદલવા માટે બેંકોમાં ભીડ લગાવવાની જરૂર નથી. કારણ કે આ માટેનો સમય ચાર મહિના દૂર છે.

રોકડની અછત ભરપાઈ કરવા નોટ લાવવામાં આવેલી

શક્તિકાંત દાસે કહ્યું કે 2,000ની નોટને પાછી લેવાનો નિર્ણય ચલણ સંચાલનનો એક હિસ્સો છે. નોટબંધી બાદ રોકડની અછતની ભરપાઈ કરવા આ નોટ લાવવામાં આવી હતી.

કોઈ દસ્તાવેજની જરૂર નહી

RBIના વડાએ સ્પષ્ટતા કરી છે કે રૂપિયા 20 હજાર સુધીની થાપણ અને એક્સચેન્જ માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી. બેંક ખાતામાં રૂપિયા 50,000થી વધારે રકમ જમા કરાવવા પેન કાર્ડ જરૂરી છે.

આવતીકાલથી શરૂ

23મી મે એટલે કે મંગળવારે બેંકમાં દરરોજ 10 નોટ જમા કરાવી શકો છો. RBIનું કહેવું છે કે લેવડ-દેવડ માટે રૂપિયા 2000ની નોટનો ઉપયોગ જાળવી રાખવામાં આવશે.

સરકારી બેંકોનો નફો છેલ્લા એક વર્ષમાં એક લાખ કરોડને પાર